Friday 29 April 2022

રાજકોટ વારતા શિબિર – ૧૭ એપ્રિલ ૨૦૨૨ ~ ચંદ્રિકા સોલંકીનો અહેવાલ

(‘ભારવિપ્રેરિત વાર્તા શિબિરનો અહેવાલ.)
અંતે જે દિવસની રાહ જાન્યુઆરીથી હતી ,તે વાર્તા શિબિરનો દિવસ આવી પહોંચ્યો. હું આ શિબિરમાં જવા માટે ખૂબ જ ઉત્સુક હોવાથી શનિની રાતે જ અમે દ્વારકા થી વાંકાનેર બાર વાગ્યે ટ્રેનમાં આવી પહોંચ્યા હતા. રવિવારનો દિવસ અમારા માટે તો પાંચ વાગ્યે જ ઊગી ગયો હતો.અમે સવારે સાડા સાતે વાંકાનેરથી નીકળ્યા. સમયસર પહોંચવાની લ્હાયમાં હું વારંવાર ભૂદેવને ટકોર કરતી હતી," બાઈક થોડી સ્પીડમાં ચલાવજો હો". મારી ધારણા કરતાં દોઢ કલાક  વહેલા અમે શિબિરના સ્થળે ભાષા-સાહિત્ય ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પર પહોંચી ગયા હતા. ત્યારે સ્વાભાવિક છે કે વાર્તા શિબિર નું સ્થળ ભાષા-સાહિત્ય ભવન બંધ હતું. દોઢ કલાક પસાર કરવા સૌ પ્રથમ તો મેં જ્યાં એમ.એ.ના બે વર્ષ અભ્યાસ કરેલો તે સમાજ શાસ્ત્ર ભવન પર અમે આંટો મારી આવ્યા. યુનિવર્સિટીના તમામ ભવન અને સમગ્ર પ્રાંગણમાં ઘણું પરિવર્તન આવેલુ જોયું .થોડી વાર અમે મોબાઇલ ઘુમડયો ત્યાં અશ્વિની બહેન અને જયેશ રાષ્ટ્રકૂટ શિબિરના સ્થળે ભાષાભવન પર આવી પહોંચતાં અમે પણ શિબિરના સ્થળે ગયા. સૌ શિબિરાર્થીઓ પણ ધીમે ધીમે આવી પહોંચ્યા. ભાઈ શ્રી સંજયભાઈ  અને અશ્વિની બહેને શિબિરાર્થીઓને પોતાનું નામ નંબર નોંધ કરી ચા-નાસ્તા માટે જવાની સુચના આપી. સૌ શિબિરાર્થીઓ ગરમાગરમ ચા નાસ્તો કરીને એકબીજા જાણીતા-અજાણ્યા મિત્રોને હળતા મળતા હોલમાં ગોઠવાયા.

 

   સૌને ઇન્તજાર હતી મુંબઈથી ખાસ આ શિબિર માટે પધારી રહેલા ,   'લંબી ઝુલ્ફે વાલે' લેખક રાજુ પટેલની. 

 

'ભારવિ'ના ના મુખ્ય સુત્રધાર શ્રી સંજયભાઈ ઉપાધ્યાયે જાહેરાત કરી કે થોડીવારમાં રાજુ પટેલ આવી રહ્યા છે, ત્યાં સુધીમાં સૌ શિબિરાર્થીઓ પોતાનો ટૂંકો પરિચય આપી દે. સૌ સાહિત્ય રસિકો, વાર્તા રસિક ભાવકો, વાંચકો અને આ શિબિરમાં ઉપસ્થિત અમુક વિદ્યાર્થીઓએ પોતાનો પરિચય આપ્યો. થોડીવારમાં "વારેવા" વાર્તા માસિક ચલાવતા લેખક  અને વાર્તાકાર રાજુ પટેલ પોતાની લંબી ઝુલ્ફે હવામાં લહેરાવતા આવી પહોંચ્યા. કોઈ જ વધુ પિષ્ટપીંજણ કે સ્વાગત જેવી ઔપચારિકતામાં પડ્યા વિના રાજુ પટેલે પોતાની આગવી શૈલીમાં સીધા જ વાર્તા વિષય પર આવ્યા.  સારી વાર્તા કેવી રીતે લખવી, વાર્તા માં કયા કયા  તત્વો હોવા જોઈએ, સારી વાર્તા  કેવી રીતે બનેતેમજ વારતામાં કલ્પના તત્વ હોવું જોઈએ કે સત્યના આધાર પર વાર્તા લખાયેલી હોવી જોઇએ વગેરે મુદ્દાઓની છણાવટ પોતાની આગવી અને રસાળ જીવનશૈલીમાં રાજુ પટેલે કરી. તમામ શિબિરાર્થીઓને પણ રાજુ પટેલ એ ચર્ચામાં સામેલ કરી સૌને પોતાનો મત રજૂ કરવાની પણ તક આપી. શિબિરાર્થીઓ પોતે વચ્ચે પોતાનો કોઈ પ્રશ્ન કે વિચાર હોય તો તે પણ રજુ કરે એના પર ભાર આપી સૌને અભિવ્યક્તિ ની છૂટ આપી વચ્ચે બોલવાની તક  પણ રાજુ પટેલ આપી. વાર્તા લેખનના જરૂરી મુદ્દાઓની ચર્ચા દરમિયાન જયેશ રાષ્ટ્રકુટ પોતાનો વિરોધી મત વ્યક્ત કરી થોડી વારમાં   ‌શિબિર છોડી બહાર ગયા .રાજુ પટેલે આ તક ઝડપીડી લઈ તેના પરથી જ વાર્તા કેવી રીતે લખાય તેની ચર્ચા કરી. કોઈ શિબિરાર્થી અધવચ્ચે શિબિર છોડીને બહાર જતા રહે છે તો શા માટે એ બહાર ગયા તેની કલ્પના કરી એ વિષય પરથી વાર્તા લખી શકાય તેની ભૂમિકા ઊભી કરી અને તે અંગે ચર્ચા કરી વાર્તા ક્યાંથી ઉત્પન્ન થાય વાર્તા સત્યઘટના પરથી જ લખાવી જોઈએ કે કેમ વગેરેની ચર્ચા કરતા કરતા રાજુ પટેલ આવેલા શિબિરાર્થીઓ માંથી કોઈ રાજકોટનું સ્થાનિક હોય તો તેમને  રાજકોટ માટે પાંચ છ વાક્ય બોલવાનું કહ્યું. શિબિરાર્થીઓ માંથી રાજકોટમાં રહેતા ચારેક શિબિરાર્થીઓ ઉભા થયા અને તેઓએ પોતાની રીતે રાજકોટ વિશે પાંચ છ વાક્યો કહ્યાં. ત્યાર બાદ ભોજનનો સમય થઈ જતા સંજયભાઈ ઉપાધ્યા એ ભોજન માટે વિરામ ની જાહેરાત કરી, એ દરમિયાન રાજુ પટેલ પોતે જે ટાસક વાર્તા લખવા આપેલો તે અંગે ૧૦ થી ૧૫ મિનિટમાં વાર્તા લખવાનું સૌને ભારપૂર્વક જણાવ્યું.  કોઈ શિબિરાર્થી, શિબિર અધવચ્ચે છોડીને બહાર જાય છે તો તેની પાછળના કારણની કલ્પના કરી એક રસપ્રદ વાર્તા લખવી. અને તે અંગેની  જુદી જુદી કલ્પનાઓ પણ રાજુ પટેલ સૌની સામે દોહરાવી. સ્વાદિષ્ટ ભોજન લઈને સૌ દઉ શિબિરાર્થીઓ હોલમાં પરત  ગોઠવાયા. ભોજન વિરામ પહેલા આવેલા અન્ય બે   મહેમાનો  'વારેવા' વાર્તા  ગ્રુપના છાયા ઉપાધ્યાય તેમજ વાર્તાકાર લેખક શ્રી નિલેશ રૂપાપરાનો પરિચય અપાયો.તેમજ મોડેથી પણ સૌ માટે મીઠાઈ લઈને પધારેલા નિલેશ મૂરાણી એ સૌને મોં મીઠું કરાવ્યું. નર્મદ સાહિત્ય સભા આયોજીત કેતન મુનશી વાર્તા સ્પર્ધા માં તેમની વાર્તા તૃતીય ક્રમે વિજેતા બનતા એ ખુશીમાં શિબિરાર્થીઓને નિલેશ મૂરાણી એ પોતાના તરફથી પેંડા ખવડાવી પોતાનો આનંદ અને રાજીપો વ્યક્ત કર્યો.સૌએ નિલેશ મૂરાણી અભિનંદન આપ્યા.

ભોજન પછીની બેઠકમાં રાજુ પટેલ શિબિરનો દોર આગળ વધાર્યો. અને ભોજન સમય પહેલા લખવા આપેલી વાર્તા અંગે પૃચ્છા કરી. મોટાભાગે કોઈનાથી પંદર-વીસ મિનિટમાં વાર્તા લખાઈ ન હતી. આમ છતાં રાજુ પટેલ ૧૦ મીનીટનો વધુ સમય આપ્યો પરંતુ મોટાભાગના શિબિરાર્થીઓ ૧૦ મિનિટની અંદર વાર્તા લખીને પૂરી કરી શકયા ન  હતા. આથી વાર્તા લેખનનો દોર આગળ વધારતા રાજુ પટેલે જણાવ્યું કે વાર્તા લખવી તો કેવી લખવી જોઈએ વાર્તામાં કયા કયા તત્વો હોવા જોઈએ કે જેથી સારી વાર્તા બને.  આ ઉપરાંત વાર્તા લખવા કરતા વાર્તા ન લખવી જોઇએ એ અંગે પણ  વાર્તા લખનારે વિચારવું રહ્યું વગેરે મુદ્દાઓની ચર્ચા કરી ત્યાર બાદ મુંબઇથી પધારેલા નિલેશ રૂપાપરા ની વાર્તા  "ચમનો"ની ચર્ચા થઈ. "ચમનો" વાર્તાનું ખૂબ સરસ પઠન સંધ્યા ભટ્ટે કર્યું. ચમનો વાર્તાના સબળા નબળા પાસા પર ચર્ચા થઈ."ચમનો"વાર્તા ના લેખક નિલેશ રુપાપરાએ પણ પોતાની વાર્તા અંગે રજૂઆત કરી.  બેન છાયા ઉપાધ્યાયે વાર્તાલેખન અંગેના પોતાના મંતવ્યો રજૂ કર્યા. તેમજ "વારેવા"વાર્તા મેગેઝીન  વિશે થોડી માહિતી આપી. વાર્તા લેખન ની કળા તેના મુખ્ય પાસા વાર્તામાં કલ્પના કે સત્ય હોવા જોઈએ કે નહીં સત્ય ને આધારે વાર્તા લખાય છે કે કલ્પના તત્વ વગેરે જેવા શિબિરાર્થીઓ ના પ્રશ્નોની રાજુ પટેલે પોતાની આગવી શૈલીમાં જવાબો આપી વાર્તાના દોર ને આગળ વધારતા સૌ શિબિરાર્થી ને પોતે જે વ્યક્તિને ધિક્કાર કરતા  કરતા હોય તેની તરફેણમાં ચાર પાંચ વાકયો બોલવા કહ્યું. એકાદ-બે અપવાદ સિવાય કોઈ જ શિબિરાર્થી પોતે જેને ધિક્કારતા હોય તેની તરફેણમાં બોલી ના શક્યા અથવા તરફેણમાં બોલવાની સ્પષ્ટ ના પણ કહી. વાર્તા લેખન ની આ શિબિરમાં વાર્તા અંગેની માહિતી, જરૂરી મુદ્દાઓ, વગેરે રાજુ પટેલ એક જગ્યાએ બેસીને નહીં પરંતુ સૌ શિબિરાર્થીઓ ની વચ્ચે રહીને, દરેકની નજીક જઈને, હાલતા ચાલતા બધું સમજાવીને શિબિરમાં જીવંત વાતાવરણ ખડું કર્યું. વળી દરેક શિબિરાર્થીને વાર્તા લેખન અંગેના પોતાના મંતવ્યો અને વિચારો વગેરે રજુ કરવાની છૂટ આપીને આ વાર્તા શિબિરને રાજુ પટેલે ભારેખમ ન બનાવતા એકદમ હળવી ને રસપ્રદ બનાવી. તેમજ દર મહિને પણ વાર્તા શિબિર માટે છેક મુંબઇથી રાજકોટ પોતે આવશે તેની પણ રાજુ પટેલ એ તૈયારી બતાવી ધીમે ધીમે ના અંત તરફ આવતા સવારે આપેલી વાર્તા પૂરી  લખીને વાર્તા ગ્રુપમાં મુકવાનું  તેમજ આ વાર્તા શિબિરના અહેવાલ લેખન નું કામ કોઈ કરશે તેનું સૂચન કર્યું.

આ વાર્તા શિબિરના અંત તરફ જતાં જયેશ રાષ્ટ્રકૂટે  આ વાર્તા શિબિરમાં આવેલા એક શિબિરાર્થી ગોહિલ નિલેશ દ્વારા શિબિરાર્થી માટે લાવેલા મધ વિશે   સૌને માહિતગાર કર્યા.કર ગોહિલ નિલેશ મધની ખેતી કરતા હોય તમામ પ્રકારના જુદા જુદા મત એમની પાસેથી મળી રહેશે એ મધ મીઠી વાત કરતાં અને એમના દ્વારા અપાયેલા મધનો સ્વાદ ચાખી વાર્તા શિબિરનું મધૂર સમાપન થયું.

####

 

  આ વાર્તા શિબિરના સફળ આયોજન માટે મુખ્ય સૂત્રધારો ભાઈ શ્રી સંજયભાઈ ઉપાધ્યાય, અશ્વિની બહેન, જયેશ રાષ્ટ્રકુટે જહેમત ઉઠાવી , બંને સમય ચા-નાસ્તો અને સ્વાદિષ્ટ ભોજન તેમજ વાર્તાકાર લેખક રાજુ પટેલ ને સૌ માટે ઉપસ્થિત કરાવ્યા છે અભિનંદન અને રાજીપાની વાત સૌ માટે છે.

આમ તો આ શિબિરમાં સવ પોતીકા જ હતા અને પોતીકા નો આભાર માનવાનો હોય નહીં રાજુ પટેલ તો બિલકુલ આવી કોઈ જ ઔપચારિક તા માનતા ન હતા. તેમ છતાં આ વાર્તા શિબિર માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનનો સરસ હોલ ઉપલબ્ધ કરાવવા માટે ડૉ. મનોજ જોશીનો આભાર માન્યો. શિબિરમાં ચા નાસ્તો અને  ભોજન અને ચાર વાગ્યે ઠંડી મીઠી મન અને હૃદયને તૃપ્ત કરે એવી છાશ આપનાર દાતાનો પણ આભાર વ્યક્ત કર્યો.શિબિરના  મુખ્ય સૂત્રધાર ભાઈ શ્રી સંજયભાઈ, અશ્વિન  બહેન , જયેશ રાષ્ટ્રકૂટ એ સૌ માટે શિબિરાર્થીઓએ આનંદ રાજીપાની લાગણી વ્યક્ત કરી આનંદથી છુટા પડ્યા.

####


 

આગળ વાંચો »

Tuesday 26 April 2022

રાજકોટ વારતા શિબિર – ૧૭ એપ્રિલ ૨૨ ~ ડૉ.અશ્વિની જોષી

 











રાજકોટ નામના રંગીલા શહેરમાં, એક વાર્તા શિબિરનું આયોજન કરવામાં આવેલ. બપોરે તો સહુ સુઈ જાય એવું મહેણું, કોઈને સાહિત્યમાં રસ નથી અથવા કવિતાઓ સિવાય રસ નથી એવું મહેણું  એક ઝાટકે શિબિરની સફળતાથી ભાંગી જાય એવો લોકોનો પ્રતિભાવ રહેલો.

સવારના 10 વાગ્યાથી પ્રત્યાશીઓ અલગ અલગ જગ્યાએથી આવવા લાગ્યા અને ધીમે ધીમે સંખ્યા વધવા લાગી. કચ્છ, વાંકાનેર, એમ અલગ શહેરના માણસોએ પણ નજીક જ છે તો લાભ લઈએ એમ વિચારીને ખરેખર લાભ લીધો જ. નહિતર એમને અમદાવાદ સુધી જવું પડતું.

આ શિબિર રાજકોટમાં નવનિર્મિત ભારવિ (ભાષા રચના વિચારમંચ -જે વિશેષ તો  નવોદિતોને માર્ગદર્શન મળે અને એમના પ્રશ્નોના હલ મળી રહે એ માટે જ રચાઈ છે) દ્વારા કરવામાં આવ્યું હતું... ભારવિ મંચનો આ પ્રથમ ઉપક્રમ હતો.

વાર્તા રે વાર્તા ( વારેવા) વૃંદના રાજુ પટેલે  શિબિરમાં વાર્તા વિશે વિસ્તૃત ચર્ચાઓ કરી. સીધી વાર્તાના બંધારણ કે આ નિયમ કે તે નિયમ એવા જડ કન્ટેન્ટને ન વળગી રહેતા તેઓએ પહેલા સહુના વિચાર વાંચ્યા, સહુની  કલ્પના ખીલવવાની કવાયત કરી અને વિશેષ તો લખવા માટે પહેલા અઢળક વાંચો એ સમજાવ્યું..સાહિત્યનો જે પ્રકાર લખવો છે એમાં સ્પષ્ટ થાઓ અને પછી એ જ પ્રકારના કમ સે કમ 50 પુસ્તક વાંચો એનું  ગંભીરતા પૂર્વક  સૂચન કર્યું. રાજુએ પ્રસંગ અને ઘટના આધારિત વાર્તા માટે ગૃહકાર્ય પણ આપ્યું અને વિશેષ તો કોઈ પણ વાર્તા લખાય પછી થોડોક સમય એને આપીને ફરીવાર પોતે જ વાંચવાની ખાસ ભલામણ કરી. અને ઉમેર્યું કે એને  પાકવા દેજો.. બીજી વાર વાંચ્યા પછી આપણને તો આપણી વાર્તા ગમવી જ જોઈએ.

શિબિરના આયોજન માટે  પ્રથમવારમાં જ અધ્યક્ષ શ્રી મનોજભાઈ જોષી એ સંમતિ આપીને ગુજરાતી ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનો હૉલ ભારવિ ઉપયોગ કરે તો ભાષા સાહિત્યનું જ કામ હોવાથી સારું રહે એ રીતે આપી દીધેલ. તેઓએ ભાવપૂર્વક કહ્યું કે તેમણે પોતે ભણતા ત્યારથી આમા શબ્દો અને સુર વાવ્યા છે! યુનિવર્સીટીમાં જ કાર્યરત જીવાણી સાહેબ અને અશ્વિની બેનએ બાકીની વ્યવસ્થાઓ સંભાળી હતી.

ભારવિના અન્ય સદસ્ય જયેશભાઇ, ભાર્ગવી બેન, શ્રદ્ધાબેન, પ્રો. સનતભાઈ  સહુએ  સ્વયંભૂ જવાબદારીઓ સ્વીકારીને શિબિરને સફળ બનાવી હતી.

શિબિરમાં મુંબઈથી આવેલ રાજુ પટેલ સિવાય અન્ય માર્ગદર્શકો પણ જોડાયા હતા..જેમાં નિલેશભાઈ રૂપાપરા અને  વારેવા મેગેઝીનના તંત્રી છાયાબેને પોતાની આગવી ઢબે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

ઇમરાન દલ, નિલેશ મુરાણી જેવા સુંદર પણ ઓછી વાર્તાઓ લખતા સભ્યો પણ આ શિબિરમાં જોડાયા હતા.

આવી એક  શિબિર રાજકોટમાં  થવી જોઈએ એ વિચારબીજ જેમનું હતું એ  'ભારવિ'ના જ  સંજયભાઈ ઉપાધ્યાય એ આ સમગ્ર પ્રવૃત્તિનું સફળ આયોજન કરેલું. જેનો સીધો લાભ લગભગ 40 જેટલા વાર્તાકારોને મળ્યો છે.

ભારવિ ભવિષ્યમાં પણ શુદ્ધ સાહિત્યને લગતા પ્રકલ્પો કરવા કટિબદ્ધ છે તો રાજકોટને એનો બહોળો લાભ મળશે એની પ્રતીતિ આ વાર્તા શિબિરે કરાવી દીધી.

######






આગળ વાંચો »

Friday 14 January 2022

વડોદરા વાર્તા શિબિર અહેવાલ/૧૯ ડીસેમ્બર ૨૧ / જાગુ પટેલ

 

વારેવા : વડોદરા વાર્તા શિબિર અહેવાલ/૧૯ ડીસેમ્બર ૨૧ / જાગુ પટેલ



અમદાવાદ શિબિરનો મસમોટો વિસ્તૃત અહેવાલ લખ્યા બાદ અને તેના માટે મિત્રોનો એવો જ સ્નેહાળ આવકાર મળ્યા બાદ હું એવું માનવા લાગી છું કે વાર્તા લખું ન લખું પણ અહેવાલ લખવો એ મારી સામાજીક, ધાર્મિક, નૈતિક ફરજ છે. 😁

 

વાર્તા લેખન શીખવા માટેના મારા ગંભીર પ્રયાસો શરૂ થયા ત્યારથી અત્યાર સુધીમાં મારી આ ચોથી શિબિર અને વડોદરા મારા હોમ ટાઉનમાં આ પહેલી શિબિર હતી. વાર્તા શિબિરની જાહેરાત સમયે જ નિલેશ મૂરાનીએ એ દિવસની ચૂંટણી પ્રત્યે મારું ધ્યાન દોર્યા બાદ થયું કે શિબિરને કેન્સલ રાખું અને રાજુને ના કહી દઉં પણ રાજુએ કહ્યું ના જેટલા આવે તેટલા આપણે શિબિર કરીશું.

શિબિર સ્થળ ખૂબ દૂર હોવાથી જેમ તેમ પહોંચી ત્યારે જયોતિબહેનનો વસાવડા એજ્યુકેશનનો ક્લાસરૂમ ગોઠવાઈ ગયો હતો. બધા પોતાનો પરિચય વારાફરતી આપતા હતા અને તેઓનો વાર્તા સાથેનો સંબંધ રાજુ દ્વારા ચકાસાતો હતો ત્યારે જ હું વચ્ચે ટપકી પડી. ઓર્ગેનાઈઝર જ મોડા પડે એ થોડું ચાલે !! એ સંભાળવાની તૈયારી હતી જ અને બધાએ હસતા હસતા કહ્યું પણ ખરું. ખેર, ઘણા બધાએ આવવાનું કહીને નહતા આવ્યા એ નિરાશા સાથે અને દસ મિનિટ લેટ હોવાના વાંકમાં હતી એટલે ચૂપચાપ હું પહેલી બેન્ચ ઉપર બેસી જ ગઈ. 

રાજુ એ સમય ન વેડફતા શીખવાડવા સજ્જ બની ગયા. અને માહોલ પણ એવો જ હતો કે રાજુને પોતાને પણ શિક્ષક હોવાનો ભ્રમ થાય.

રીધમ પટેલ, રાજેન્દ્ર શાહ, સુનીલ કઠવાડિયા , ધીરેન સુથાર, જ્યોતિ વસાવડા, આરતી પાઠક, રૂપલ પંડ્યા, છાયા ઉપાધ્યાય, કિશોર પટેલ ક્લાસરૂમમાં ઉપસ્થિત હતા. ક્લાસ શરૂ થાય ત્યાંજ પૂજા રાવલ અને વિજય પટેલની એન્ટ્રી થતાં સમયે થોડી ઘણી થયેલી કલબલને શાંત પાડવા એમની આદત મુજબ રાજુએ તાળીઓ પાડી આ બાજુ ધ્યાન રાખવા કહ્યું.

રાજુ ઉવાચ.. 

"વાર્તા શું છે? વાર્તા સાહિત્યનો એક પ્રકાર છે અને સાહિત્ય એ કળાનો એક પ્રકાર છે એટલે મૂળભૂત રીતે વાર્તા એ કળાનો એક પ્રકાર છે. અને કળાનું કોઈ પ્રોપર આધાર કાર્ડ ના હોય કે કળા એટલે આ... કળા ના કોઈપણ પ્રકારની આવી ઓળખ ના હોય. વાર્તાનું પણ એવું જ છે. વાર્તાની ઓળખ એટલે શું..?? તમે એવું ના કહી શકો કે આટલા શબ્દો એટલે વાર્તા. એટલે તમે બધા વાર્તા વિશે જો સમજવા માંગતા હોય તો તમે પોતે વાર્તા વિશે શું માનો છો એ વિશે આપણે પહેલા સ્પષ્ટ થઈએ. એટલે સૌથી પહેલું કામ હું તમને એ આપુ છું કે તમારી પોતાની વ્યાખ્યા મુજબ વાર્તા એટલે શું ? તમે વાર્તા કેમ લખવા માંગો છો અથવા કોઈએ પણ વાર્તા શું કામ લખવી જોઈએ ? અને વાર્તા કેમ વાંચો છો ? આ ત્રણ પ્રશ્ન ઉપર એક વ્યક્તિગત નોંધ બનાવો જેના માટે હું તમને પાંચ મિનિટ આપુ છું." જ્યોતિ ઊભા થઈને ત્રણ સવાલ બોર્ડ ઉપર લખવા જતા હતા તેમને રાજુએ અટકાવ્યા કે "એવું કરવું જરૂરી નથી આ તો ખૂબ બેઝિક સવાલ છે."

સુનીલે વાર્તા વિશે બોલવાનું ચાલુ કર્યું ત્યાં જ રાજુએ ટપાર્યા કે "બોલવાનું નથી લખો. તમે બોલશો તો બીજા પણ પ્રભાવિત થશે."





સહુએ પોતપોતાની વ્યાખ્યા મુજબ જવાબ આપ્યા જેના ઉપર રાજુએ પ્રતિ સવાલ કર્યા. 

જેમકે કોઈકે કહ્યું કે એક સામાજિક સંદેશ આપવા માટે લખવું છે અથવા કૈંક મેસેજ આપી શકાય તેના માટે લખવી છે તો રાજુ નું એવું કહેવું હતું કે "બોધ કથા છે જ બોધ આપવા માટે. અને સમાજમાં ડગલે ને પગલે તમને લોકો શીખવવા બેઠા છે. તમારો પાડોશી બે વર્ષ મોટો હશે તો એ પણ તમને સલાહ આપીને શીખવવા તત્પર હશે." 

પૂજાના વાર્તા વિશેના અભિપ્રાયો મુજબ જેતે સમય કે દેશ/રાજ્યની સંસ્કૃતિ અથવા જે તે સમયની વાતો પણ વાર્તા દ્વારા જાણી શકાય અને હું પણ મારી દ્વારા બીજાને તે આપી શકું જેના જવાબમાં રાજુએ કહ્યું કે " સંસ્કૃતિ બતાવવાનો ભાર વાર્તા ઉપર ના હોવો જોઈએ..હા એ એની સાઈડ ઇફેક્ટ હોઈ શકે. ખેર તમે બધાએ જે જવાબો લખ્યા છે એમાં એક વાત તો કોમન છે તે છે કલ્પના. એટલે આપણે બધા એક મત ઉપર તો છે કે વાર્તા લખવા ઓછામાં ઓછી આટલી તો જરૂરિયાત છે જ. હવે વાર્તામાં કલ્પના એ બહુ છેતરામણો શબ્દ છે. એક જાણીતી કહેતી છે કે ઈતિહાસમાં નામ અને તારીખ સિવાય બધું કાલ્પનિક હોય છે. અને વાર્તા કે નોવેલમાં નામ અને તારીખ સિવાય બધું સાચ્ચું હોય છે.આવું જ હોય છે એવું નથી. વાર્તામાં જે કલ્પના હોય છે એ સંપૂર્ણપણે કલ્પના નથી હોતી અને વાસ્તવ સંપૂર્ણપણે વાસ્તવ નથી હોતું. ઉદાહરણ રૂપે એક જીવન વ્યવહારમાં એક પરંપરા છે કે આપણા ઘરની ઘડિયાળ કે કાંડા ઘડિયાળ આપણે પાંચ મિનિટ આગળ રાખતા હોઈએ છે. વાસ્તવમાં બાર ને દસ થઈ હોય ત્યારે ઘડિયાળમાં સવા બાર થયા હોય. અને તમે બિહેવ પણ સવા બાર થયાં એવું કરો છો. તો આ પાંચ મિનિટ છે કે નથી અને નથી તો ક્યાં છે ? એના માટે હું તમને પાંચ મિનિટ આપુ છું. મને પ્રોપાર સમજૂતી આપો." રાજુ એ એમ કહીને બીડીનો બ્રેક લીધો. 

બ્રેક પછી બધાએ પોતપોતાની રીતે આ પાંચ મિનિટનું અસ્તિત્વ સમજાયું. એક રીતે બધાનું એવું કહેવું હતું કે આ પાંચ મિનિટ આપણા અને દુનિયા માટે ઊભો કરેલો ભ્રમ છે. રાજુ ઉવાચ - તમે બધા બીજ ગણિત ભણ્યા હશે તેનો એક પાયાનો સિદ્ધાંત છે ધારો કે --- આના ઉપર આખું બીજ ગણિત છે અને એ ધારોકે ઉપર જ આખી વાર્તા ઉભી છે. તમારી પાસે કોઈ પણ ચલણી નોટ હોય એમાં એવું લખ્યું છે કે મે ધારક કો પચાસ રૂપિયા દેનેકા વાદા કરતા હૈ. એટલે ગવર્નર આપણાં ને વાયદો કરે છે. આને આપણે તે માનીએ છે. કે ફલાણી નોટ આટલાની છે. આ માનવું એટલું સજ્જડ છે કે પાંચસોની નોટ ને પચાસ રૂપિયા માનવા તૈયાર નથી. તેવી જ રીતે વાર્તાકાર વાર્તા લખે છે તે આવું જ એક પ્રોમિસ આપે છે. જેટલા કનવિક્શન સાથે તમે નાણાં વ્યવહાર કરો છો એ જ કનવિક્શન સાથે વાર્તા લેખક તમારી સાથે વાત કરે છે. એ તેની વાર્તામાં કહેશે કે મગનલાલ છે તો ભલે તે ના હોય પણ તમે મગનલાલ છે તેવું માનો છો. આ પેલી પાંચ મિનિટ જેવું છે. કે વાર્તામાં કહેલા મગનલાલ છે નહિ છતાંય તમે માનો છો. આને તમે તેમને દુખે તમે દુઃખી અને તેમના સુખમાં ખુશ થાઓ છે. તમને ખબર છે તે સાચું નથી છતાંય. અને આ જ મેજિક છે કે જેને કારણે તમે વાર્તા વાંચો છો. એટલે સ્પષ્ટ થાવ કે અહી તમને શું મળશે. હવે એ કહો કે વાર્તા, ફિલ્મ,કવિતા કે નોવેલ જેમાં આવા મેજીક હોય છે, તેમાં કોઈએ રસ શું કામ લેવો જોઈએ !? આપણા બધાના જીવનમાં બાળકો હોય છે. આપણા ના હોય તો બીજાના હોય છે. પણ બાળકો તો હોય જ છે. તો બાળકો ખુશ કેવી રીતે થાય છે !? જો તમે એકની એક રમત સતત રમાડો તો એ કંટાળી જશે કેમકે એને ખબર છે કે આના પછી આ આવવાનું છે. પણ અચાનક તમે બીજું કંઈક કરીને તેને સરપ્રાઈઝ કરો તો તેને મજ્જા આવશે. એટલે એવું કઈક જે અપેક્ષિત ન હોય તે જ્યારે બને તે વાત મેજીક ઉત્પન્ન કરે છે. જે વાર્તામાં બધું અપેક્ષિત જ હોય તો તમને એ વાંચવાનો કંટાળો આવશે. એટલે વાર્તામાં જ્યારે મેજિક હશે ત્યારે એમાં મજ્જા આવશે. પણ એ મેજિક કેવી રીતે લાવવું!? વાર્તામાં કશુંક શીખવવાનું નથી, સંસ્કૃતિના રક્ષણ માટે નથી કે પછી સંસ્કૃતિના પ્રચાર માટે પણ નથી. વાર્તાની એવી કોઈ ફરજ ના હોવી જોઈએ. વાર્તા લખવી એ તમારો હક છે કે ફરજ છે એ કહો. બધાના જુદા જુદા જવાબ સાંભળીને રાજુએ આગળ ચલાવ્યું " વાર્તા લખવી જો તમારી ફરજ હોય તો એ ફરજ પૂરી કરવાનો તમને હક હોય છે. આ વાક્ય કદાચ ટ્રિકી લાગશે બીજી રીતે કહું તો વાર્તા લખવી તમારી ફરજ નહિ બને ત્યાં સુધી તમે વાર્તા નહિ લખી શકો. જેમકે કોઈ મિત્રના લગ્ન છે એટલે મારે નાચવું જોઈએ. અને મને નાચવું ખૂબ ગમે છે. અને તેમાંય મિત્રના લગ્નનો ઉમળકો હોય. તો એ નાચ કરનાર અને જોનાર બન્ને ને આનંદ આપશે. આને હજી એક ઉદાહરણ દ્વારા વધારે સ્પષ્ટ કરું. 

હિટલર દ્વારા ઊભા કરાયેલા કોનસન્ટ્રેશન કેમ્પમાં એક વૃદ્ધા હતી તે જ્યારે જ્યારે હિટલરના માણસો આવે તો તેમને તે ભરપૂર ગાળો આપતી. ત્યારે કોઈકે એને કહ્યું કે આવું ન કર જો એ લોકો અકડાશે તો તને ગોળી મારી દેશે. તો એનો જવાબ એ હતો કે પરિસ્થિતિ ગમે તેવી હોય પણ જે ખોટું છે એનો વિરોધ કરવો એ મારી ફરજ છે. આમ ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં તમને લખવું જરૂરી થઈ પડે ત્યારે વાર્તા લખાશે. અને તો જ તમે લખો. કશુંક મહેસૂસ કરીને એને શબ્દોમાં ઢાળશો તો જ વાતમા ઊંડાણ આવશે. 



પેરસાઇટ નામની એક કોરિયન ફિલ્મ હતી જેને ઓસ્કર મળ્યો છે. જેમાં ગરીબ વર્ગના ફેમિલીને અમીર વર્ગના ફેમિલી દ્વારા શોષણથી એટલો પ્રોબ્લેમ થાય છે કે તેઓ તેમના ફેમિલી બધા માણસોને મારી નાંખે છે. આ ફિલ્મને બહોળો પ્રતિસાદ એટલે મળ્યો કે અમીર ગરીબ વર્ગ બધા એની સાથે રીલેટ કરી શક્યા. 

ટુંકમાં તમે જો વાર્તા લખ્યા વિના રહી શકતા હોય તો તમે ના લખશો. પતિને, કે પાડોશીને ઇમ્પ્રેશ કરવા કીટી પાર્ટીમાં હું કંઇક છું એવું બતાવવા તમારે વાર્તા નથી લખવાની. વાર્તા કળા છે અને કળાને શીખવાડી નથી શકાતી પણ કળા શીખી જરૂર શકાય. વાર્તાનું પ્રેમ જેવું છે જેમાં તમને કોઈ ના પણ પાડે છતાંય તમે જાતને પ્રેમ કરતા રોકી જ ન શકો એવી સ્થિતિ હોય ત્યારે જ વાર્તા લખી શકશો.

હવે મને એવું લાગે છે કે મે તમને ખૂબ આંચકા આપ્યા છે એટલે આપણે બ્રેક લઈ લઈએ"

અમદાવાદ જેવી ભવ્ય ડબ્બા પાર્ટી તો નહતી કેમકે મારા સહિત બેત્રણ જણ લાવ્યા જ નહતા. છતાંય ધરાઈ જવાય એટલા વ્યંજનો હતા. ગુજરાતીઓની ઓળખ બની ચૂકેલી વાનગી ઢોકળા, થેપલા તે પણ પાછા બે પ્રકારના.. ખાસ બહેનપણીઓ જેવા જોડીમાં હતા.. એવું જ અદ્દલ બટાટા, કેળાંની વેફર પણ જોડીમાં હતી. તો ભજીયા, ગોટા પણ સાથે જ હતા. લીલી ચટણી એકલી હતી પણ સમોસા સાથે આવેલા લીલા તળેલા મરચાં એના જોડીદાર બન્યા. પણ મીઠાઈની જે કમી હતી તેને પૂરી કરવાની જવાબદારી છાયા એ લાવેલા ગોળ ઉપર આવી પાડી એટલે એની જોડી બનાવવા ટી પોસ્ટની મીઠી મધુરી ચા ને આમંત્રણ પાઠવી દીધું.

નાસ્તાની સાથે સાથે થાકના કારણે ઝોકે ચઢેલા આપણા વારેવાના સંપાદક ટીમના છાયા ઉપાધ્યાય ઉત્સાહમાં આવી ગયા હતા. અને ત્યાં હાજર રહેલા મિત્રોને કેવી રીતે વારેવા મેગેઝિન માટે વાર્તાનું ચયન કરાય છે તેની માહિતી આપી રહ્યા હતા. આમાંથી ઘણા વારેવા ગ્રુપમાં પણ નહતા તેથી તેમને અહી ચાલી રહેલા કથાવેધની પણ સમજણ આપી. સાથે સાથે કેટલાક લવાજમ પણ ભર્યા. અને તેઓને બે મહિનાના અંક આપ્યા.

વડોદરા શિબિરમાં લગભગ બધાજ નવોદિતો હોવાથી રાજુ એ સામો પ્રશ્ન કર્યો કે હવે તમે પૂછો કે તમારે શું મુંઝવણ છે. 

સુનીલનો પ્રશ્ન એ હતો કે વાર્તાના પ્રકાર કયા કયા ?

રાજુ નો જવાબ " વાર્તા બે હજાર શબ્દ થી લઈને પિસ્તાલીસ હજાર શબ્દ સુધીની વાર્તા ટુંકી વાર્તા હોઈ શકે. પિસ્તાલીસ હજારથી ઓછા શબ્દની વાર્તા લઘુ નોવેલ હોઈ શકે. જેમ જેમ તમે આ ક્ષેત્રમાં આગળ વધશો તમને ફરક સમજાશે. સાત શબ્દોથી લઈને પંદરસો શબ્દ સુધીની લઘુ કથા હોઈ શકે. આમાં એક વિશેષ પ્રકાર આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર બનાવ્યો છે તે શબ્દ માઇક્રોફિક્શન છે. માઇક્રોફિક્શનની વ્યાખ્યા સમજવતો એના માટે જ પ્રયોજાતો બીજો એક શબ્દ છે ફ્લેશ સ્ટોરી. ચમકારા ને કેટલો સમય લાગે એટલી જ કે એનાથી થોડીક વધારે હોય એટલા જ શબ્દોની વાર્તા હોય.

સુનિલનો પ્રશ્ન " નવ રસમાં સાત રસ સરળતાથી લખી શકાય છે પણ શૃંગાર રસ તો તો પણ લખાઈ જાય પણ અદભુત રસ કઠીન પડે છે તો એને સરળતા સાથે કેવી રીતે લખવો ? અને તેમને અદભુત રસની ચાર લાઈનની વાર્તા કહી. 

રાજુ -" હવે શું થશે એ કુતૂહલ વાર્તાની ઓછામાં ઓછી જરૂરિયાત છે જ. અને એને કારણે આ વાર્તા તમને અદભુત રસની લાગી. પણ તે અદભુત રસની વાર્તા નથી. આમતો દરેક રસ કઠીન છે. આપણને સરળ એટલે લાગે છે કે આપણે તેના સાથે જોડાયેલા છે અને જે કઠીન લાગે છે તે રસથી આપણે કપાયેલા છે માટે કઠીન લાગે છે. 

હું અદભુત રસની એક વાર્તા કહું રશિયાના દાઘીસ્તાનમાં મોટી મોટી ટોપી વાળો પહેરવેશ હતો. દાઘીસ્તાનમાં ત્રણ શિકારીઓ હંમેશ મુજબની જેમ સાથે ગયા. એક શિકારી શિકારની તપાસ માટે ઝાડની બખોલમાં મોઢું નાંખ્યું. બીજો શિકાર પાછળ ગયો હતો તો શિકાર કરીને આવ્યો. ત્રીજો ખાલી હાથે આવ્યો. આ અડધા કલાકથી બખોલમાં અટકેલો હતો. આ લોકો એ કહ્યું ચાલ હવે બહુ વાર થઈ પણ કોઈ રિએકશન ના આવ્યું. એટલે બીજા મિત્રોએ તેને ખેંચીને કાઢ્યો તો ટોપી પડી ગઈ. એનું માથું ગાયબ હતું. અહીં સુધી બરોબર પણ પછી  મિત્ર પૂછે છે કે આપણે આવ્યા ત્યારે એનું માથું હતું કે નહતું કે પછી બખોલમાં ગયો ત્યારે ગાયબ થયું ! એકતો આ ટોપી એટલી મોટી પહેરે છે કે માથું જ ના દેખાય. આવી અવઢવમાં તેઓએ નક્કી કર્યું કે એની પત્નીને ખબર હશે કે અહીં આવતા એનું માથું હતું કે નહિ. તેઓ તેની પત્ની પાસે ગયા. પત્નીએ પણ પાછો એવો જવાબ આપ્યો કે મને શું ખબર ! મારે તો લગ્નને હજી બે જ દિવસ થયા.

શું માથા વગરનો કોઈ માણસ હોય?

માથું ન હોય તો એના મિત્રોને એની ખબર ન હોય? અરે લગ્ન કરીને બે જ દિવસ થયા છે એટલે પત્નીને ખબર ન હોય?

કેમકે માથું તો હોય જ. એનો અર્થ એવો કે આ એક એવી વાર્તા હતી જેમાં માંથા વગરના માણસ હોઈ શકે. અથવા ભેજા વગરના વિચાર વગરના માણસના પ્રતિક રૂપે આવું કહેવાય. 

કદાચ અહીં માથું ન હોવું એટલે વિચાર શક્તિ ન હોવાની વાત હોવી જોઈએ પણ જે પ્રસ્તુતિની રીતી છે એ અદભુત કહી શકાય...

પૂજાએ પૂછ્યું  "આને એબ્સર્ડ વાર્તા કહી શકાય ?"  



રાજુ "એબ્સર્ડ વાર્તા એને કહી શકાય જ્યારે એનું ગ્રામર ના પકડી શકીએ. ઉદાહણરૂપે મધુ રાયની ‘ધારો કે ‘ નામની એક વાર્તા છે , એમાં વાર્તાની શરૂઆત જ આમ છે : ત્રણ મિત્રો હતા એક જન્મતા પહેલા મરી ગયો, બીજો જન્મતાં જન્મતા જ મરી ગયો, અને ત્રીજો જન્મ્યા પછી મરી ગયો....

 

ડબ્બા પાર્ટીની જેમ લાઈવ ટાસ્કમાં પણ રાજુએ બબ્બે વ્યક્તિની જોડી બનાવી પછી તેઓ પાસેથી જોડી દીઠ એક એક વસ્તુ લીધી. અને કહ્યું કે " હવે એ વસ્તુને છુપાવી દો અને ક્યાં છુપાવી છે એ તમારા પાર્ટનરને ખબર હોવી જોઈએ." એમ કહીને અમને કલાસની બહાર ચક્કર મારીને આવવા કહ્યું. આવ્યા બાદ એ વસ્તુને એવી રીતે શોધવાની કહી કે જાણે અમે જાણતા જ નથી કે તે ક્યાં છે. પછી એ વસ્તુ શોધીને આપવી. એમ કર્યા બાદ અમોને ફરીથી ક્લાસ બહાર ચક્કર મારવા મોકલ્યા પરત ફર્યા બાદ રાજુએ એ વસ્તુ છુપાવી દીધી હતી જે અમારે સાચ્ચે જ શોધવાની હતી. જે થોડી વારમાં માળી ગઈ. પછી બધાએ પોતપોતનું સ્થાન લીધું. 

રાજુ " જ્યારે તમને ખબર હોય કે વસ્તુ ક્યાં છે. અને જ્યારે ખબર ન હોય કે વસ્તુ ક્યાં છે એ બન્ને વખતે શોધવાના કાર્યમાં જે કુતૂહલ ઉમેરાયું તે મેજિક છે. માટેજ વાર્તા લખતી વેળા સાક્ષી ભાવ કેળવવો પડે. વાર્તામાં તમામ પાત્રોને તમે જાણો છો અને નથી પણ જાણતા. ફરી કહું છું કોઈના માટે વાર્તા નથી લખવાની. આખા વિશ્વમાં એક વ્યક્તિ એવું હોવું જ જોઈએ જેને તમારી વાત ગમતી હોય અને એ તમે છો."

હું તમને એક હોમવર્કમાં ત્રણ શબ્દો આપુ છું. એક હતો રાણી, રાણીની સમસ્યા , અને તેનું સમાધાન એક ચોર પાસે હોય. તેવી વાર્તા પાંચ દસ પંદર વાક્યોમાં લખો. 

મારા મનમાં રાણી નામની યુવતી એના ઉપર થી વાર્તા લખવું વિચાર્યું પણ ન લખી શકી તેથી મે ગીવ અપ કર્યું. અન્યોએ પોતપોતાની વાર્તા સંભળાવી. મોટાભાગના એ રાજા, વજીર, પ્રધાન જેવી જ વાર્તા લખી. એક પૂજાએ અલગ વાર્તા મધુ માખી ની રાણી એના ઉપર લખી. 

હવે બોલવાનો વારો રાજુનો હતો. કે" મોટાભાગના લોકોએ એ જ ઘરેડમાં આગળ વધીને વાર્તા લખી. જેમકે રાણી શબ્દ આવે એટલે રાજમહેલ રાજા એવું જ દેખાય પણ તે કોઈના દિલની રાણી પણ હોઈ શકે. બસ આ જ વાત આપણે છોડવાની છે મનમાં પહેલા પાંચ આઇડિયા આવે તેને ફેંકી દો. છઠ્ઠા આઇડિયાને લખો. તમારા બધા માંથી પૂજા એકલીએ અલગ વાર્તા લખી.

આ ટાસ્ક બાદ રાજુએ શિબિરમાં કેટલા લોકો ફરીથી આવવા માંગે છે તો આ શિબિર ફરી કરવી કે નહિ તે સમજાય તેની ચર્ચા કરી. જ્યોતિએ આ જગ્યા હંમેશા શિબિર માટે ઓપન હશે એની બાહેંધરી આપી. બધા ઊભા થઈને ફોટો સેશનમાં પડ્યા. અને છેલ્લે નીચે ટી પોસ્ટ ઉપર વાતોનો દૌર ચાલ્યો. વાર્તા વાતો થી તો શરૂ થાય. 😃

અને બધા એકબીજાને ફરીથી મળવાની પ્રતિબદ્ધતા સાથે આવજો કહીને છૂટા પડ્યા.

***

મારા પ્રતિભાવો ઉપરાંત એકદમ નવા નક્કોર આવેલા શિબિરાર્થીના અનુભવ તેમના જ શબ્દોમાં….

 

સુનીલ કઠવાડીયા :-

હું પદ્ય લેખન સાથે જોડાયેલ વ્યક્તિ છું, વાર્તા વાંચવાનો શોખ અને લખવાની ઈચ્છા તીવ્ર, પરંતુ કઈ રીતે શરૂઆત કરવી, ક્યાંથી શરૂઆત કરવી એવી અનેક મુંજવણ અને અસમંજસમાં વાર્તા લખવાની હિંમત નહોતી થતી, અચાનક વડોદરામાં એટલે કે ઘર આંગણે વાર્તા શિબિરનું આયોજન એટલે તો જાણે કે મોસાળે જમણવાર અને મા પીરસે એવો ભાવ થયો.

વાર્તા શિબિરમાં હાજરી બાદ એવું લાગ્યું કે વાર્તા લખવી એ એક અદ્ભુત કળા છે અને એ કળા વિકસાવા માટે સતત મહાવરો, એકાગ્રતા અને સમર્પણની પાયારૂપ જરૂરિયાત પૂર્ણ કરવી પડે. એકંદરે વાર્તાનો હાઉ દૂર થયો અને ભવિષ્યમાં પણ આવું જ શીખવા મળશે એવી આશા સાથે ખૂબ જ સુંદર આયોજન અને રસપ્રદ પદ્ધતિ સાથે અદ્ભુત આતિથ્ય....

 

વિજય પટેલ :-

ઘણી ઉપયોગી રહી શિબિર, હું કેટલા દિવસથી વિચારતો હતો કે લેખનની શુરુઆત કેવી રીતે કરવી, કયા મુદ્દા જરૂરી છે, જે પણ શીખવા મળ્યું એ નવું જ હતું, ખુબ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા હતા બધા મુદ્દાઓ, તમને બધા આયોજક અને રાજુભાઈ ને ખુબ ખુબ અભિનંદન,

 

આરતી પાઠક :-

મારો વાર્તા શિબિરનો અનુભવ કહું તો મને એવું ફીલ થયું કેહજી તો હું નર્સરીમા જ છું. કક્કા થી શરૂઆત થઈ પણ એનો મને આનંદ છે આવી શિબિર યોજાવી જરુરી છે. ટૂંકા સમયગાળામા પણ ઘણી જાણકારી મળી.

બધાનો ખૂબ જ આભાર. 🙏🏼



 

રૂપલ પંડ્યા :-

આરતીબેનની જેમ હું પણ પ્રાથમિક ક્લાસ માં જ છું .. સંસ્થા એનજીઓ ચલાવવા ને કારણે નાના અને અનોખા અનુભવો લખતી હતી ..પણ રાજુ ભાઈના વડપણ હેઠળ પહેલી કાર્યશાળામાં ભાગ લીધો .. એમણે એ ઇન્સ્ટંટ ટાસ્ક આપ્યું હતું એમાં આપણે આપણી જૂની ઘરેડ માંથી બહાર નીકળી શું નવું વિચારી શકાય એ ની સમજ મળી .. રાણી એટલે રાજા ની જ રાણી હોય એવું ન હોય એની સમજ આપી . .આવી શિબિર વડોદરામાં પણ યોજાય એવી અમારા બધાની ઈચ્છા છે ..ખુબ.આભાર 

########################################

આગળ વાંચો »

Sunday 5 September 2021

વારતા શિબિર (૧૦) અમદાવાદ - જાગુ પટેલ

 

વારતા શિબિર અહેવાલ -૧૫ ઓગસ્ટ ૨૧-અમદાવાદ - જાગુ પટેલ











 

સ્ક્રેપ યાર્ડ…(નામ તો સુના હિ હોગા.)

કોરોનાને કારણે લગભગ એક વર્ષને પાંચ મહિને ફરીથી ઑફલાઈન વાર્તા શિબિર નિર્ધારિત થઈ હતી. માટે ફરીથી પ્રત્યક્ષ રૂબરૂ થવાનો વિચાર જ રોમાંચ જન્માવતો હતો.

હું આવવાની હતી ત્યારે મારા એક સંબંધી પૂછતા હતા કે "ક્યાં જવાનું અમદાવાદમાં" મે કહ્યુ "સ્ક્રેપ યાર્ડ" તો કહે સ્ક્રેપ યાર્ડમાં શીખવા જશો ! મે કહ્યુ "હા" સ્ક્રેપ થયેલા સ્વનું રિસાયકલ કરવા… 

સામે વાળા આગળ શેખી મારવા આવી હોશિયારી ક્યારેક હું મારી લઉં.

 

વડોદરાથી વાર્તા શિબિર માટે હું જરાક વહેલી અમદાવાદ પહોંચી ગઈ. પહેલા એક વાર આવી ગયેલી હોવાથી જગ્યા અજાણી નહતી માટે સીધે સીધું અંદર પ્રવેશી જ ગઈ. જ્યાં ધર્મેન્દ્ર ત્રિવેદી અને એમની સાથે આવેલા યુવક ધ્રુવ પહેલેથી રાહ જોઈને બેઠા હતા. ધ.ત્રી સાથે વાતો કરવાની તક ઝડપી હું એમની સાથે વાતોએ વળગી. તે દરમ્યાન સ્વાતિ, અર્ચિતા, ઝરણા, પૂજા, જિગીષા અને અર્ચિતા….બધા વારા ફરતી આવ્યા પણ હજી સૂત્રધાર નહતા આવ્યા. હું વાતોમાં હતી એટલે આવવાના ક્રમમાં કોઈનું નામ આઘુ પાછું લખાયું હોય તો ચલાવવું પડશે…,

જેટલા આવ્યા હતા તેટલા અંદર પ્રવેશ્યા. સ્ક્રેપ યાર્ડની પાછળની ખુલ્લી જગ્યામાં આજે નાટકનું રિહર્સલ હોવાથી બધાં રૂમમાં જ ગોઠવાયા. એકાદ બે સેલ્ફી લીધી હશે ત્યાંજ સૂત્રધાર અને એમની સાથે ઘુંઘરાળાવાળ વાળી સુનિતા પ્રવેશ્યા. 

રાજુને ઓલરેડી મોડું થયું હોવાથી સમય ન વેડફતા શીબીર ચાલુ કરવા રાજુએ સ્થાન ગ્રહણ કરી લીધું. અને એમની સામે ગોળાકારે અમે પણ ગોઠવાઈ ગયા. થોડીક મીનીટો બાદ અમૃત, ફરીદ, છાયા, ક્રિષ્ના, ફાલ્ગુની વારાફરતી આવ્યા અને ગોઠવાયા. 

શિબિરમાં જૂના અને નવા શિબીરાર્થી સાથે હોવાથી રાજુ બોલ્યા કે -

"દરવખતે આવું જ કંઇક થાય છે. જૂના, નવા ભેગા હોય એટલે હું જો એકડેકથી ચાલુ કરું તો જૂના શિબીરાર્થી માટે બધી વાતોનું પુનરાવર્તન થાય. અને જો જૂના લોકોને ધ્યાનમાં રાખું તો નવા લોકોને અન્યાય થાય માટે આ વખતે આપણે થોડું અલગ રીતે લઈએ. તો મારો તમને પહેલો પ્રશ્ન એ છે કે આ શિબિર પાસેથી તમારી શું અપેક્ષા છે? તે વારાફરથી જણાવો. ફક્ત નામથી તમારો પરિચય આપી દો. બીજા બાયોડેટાની કોઈ જ જરૂર નથી. શરૂઆત છાયાથી કરીએ.


છાયાએ તો સીધી વારેવા મેગેઝીનની જ વાત છેડી દીધી. એમને આનામી એક વ્યક્તિ જેમને આંઠ ડ્રાફ્ટ સુધી જરૂરી સુધારા વધારા કર્યા હતા અને છતાંય હજી સુધારા માટે એમની તત્પરતા હતી તો એવી લેખકની તત્પરતા અને એક સારી વાર્તા મળે એવી તેને અપેક્ષા હતી. એટલે રાજુએ મજાકમાં કહ્યું છાયા સીધા મુદ્દા ઉપર જ આવી ગયા. 

ત્યારબાદ ક્રમશઃ બધાએ આ શિબિર પાસે તેઓની શું અપેક્ષા છે તે જણાવી. તેમાં મુખ્યત્વે ----

~ વાર્તા વાચકને સ્પર્શે એમ કેવી રીતે લખવી.

~ વાર્તા લખતી વખતે તેના ભાવમાં ઓતપ્રોત થઈને લખાય તો છે. પણ પછી એવું લાગે છે કઈક ખૂટે છે. 

~ સારી સારી વાર્તાઓ ક્યાં વાંચવી અથવા આ લેખન પ્રક્રિયા મદદરૂપ થાય એવું વાંચન કયું કરવું.

~ મારી દરેક વાર્તાના નાયક સ્ત્રી પાત્રોમાં હું વણાઈ જાઉં છું. જેને મારે છોડવું છે પણ નથી છોડી શકતી.

~ મારી વાર્તા બીજાને વધુ સરળ લાગે છે.

~ મારી વાર્તા બીજા એમ કહે છે કે ખૂબ લાંબી થઇ જાય છે.

~ મારી વિજ્ઞાનની ઇન્ફોર્મેશનને વાર્તામાં કેમની લાવવી.

~ રોમેન્ટિક લખવું નથી ગમતું. અથવા ફાવતું નથી. પણ અર્બન અને ગ્રામ્ય બન્ને બેકગ્રાઉન્ડ વાળી ટુંકી વાર્તા લખવાની ઈચ્છા છે.





"બધાની શિબિર પાસેથી જે અપેક્ષા એને સંતોષું એ પહેલા હું વાર્તા વિશે બે શબ્દ કહીશ." એમ કહેતાં ખુરશી ઉપર બિરાજમાન રાજુએ ઊભા થઈને ફરી બોલવાનું ચાલુ કર્યું.

કે "આપણે વાર્તા માટે શું કરી શકીએ ? જો તમે વાર્તા લખવા ઈચ્છતા હોવ અથવા વાર્તા લખતાં આવડતી હોય તો એને બહેતર કઈ રીતે બનાવવી. આ બે સિમ્પલ લાઈનની આ મગજમારી છે. અને એ સમજવાના પ્રયત્નો વારેવા ફેસબુક ગ્રુપમાં આપણે જુદી જુદી રીતે કરીએ છીએ. જે ગ્રુપ મેમ્બર હશે એને મોટાભાગની રીતો ખબર જ હશે. એ સિવાય આપણે અંગત રીતે મળીને શું વાત કરી શકીએ એ સમજવા આજે પ્રયત્ન કરીશું.

તો દીલ કઠણ કરીને સાંભળો, અહીં બેઠેલા અને વાર્તામાં રસ ધરાવતા તમામ માટે એક બેડ ન્યુઝ છે. એક અંધારા ઓરડામાં કાળો હાથી શોધવાનો હોય એવી સ્થિતિમાં આપણે બધા છીએ. આપણી પાસે એના માટે કોઈ સોર્સ, સંદર્ભ, માર્ગદર્શન કે સિસ્ટમ નથી. જેમ જાગુએ પૂછ્યું કે વાર્તાઓ ક્યાં વાંચવી તો હું કે ધર્મેન્દ્ર જેવા વધુ જાણકારી ધરાવતા માણસ કયો રેફરન્સ આપીશું !! જે નેટ ઉપર ઉપલબ્ધ છે તે જ. કેમકે સારી સારી વાર્તાની પુસ્તકો આઉટ ઓફ સ્ટોક છે. જેમણે છાપી છે એમને ય ફરી છાપવામાં રસ નથી. આપણા પ્રકાશકો પણ એટલા ઉત્સાહી નથી. આપણા પ્રકાશકો પુસ્તકો સાથે શું કરવા માંગે છે એ મને આજ સુધી સમજાયું નથી. જેમ મુંબઈના રીક્ષાવાળા ક્યાં જવા માંગે છે જે પણ મને આજ સુધી સમજાયું નથી. ક્યારેક દૂર અંતર હોય તો ના પાડે તો ક્યારેક નજીક અંતરમાં ના પાડે. કાર્ટૂનિસ્ટ આર.કે લક્ષ્મણે તેઓ વિશે એવું અદભુત કાર્ટુન બનાવ્યું હતું કે જેમાં કોઈ તેઓને એવું પૂછે કે ભાઈ તને ક્યાં જવું ગમશે ? કહેવાનો મતલબ એ છે કે જે વાર્તા લખવા/વાંચવા માંગતા હોય તેમને દરેક પગલે સંઘર્ષ છે. હિમાંશી શેલત, વીનેશ અંતાણીને ક્યાં વાંચવા! જ્યાં સોર્સ કે સરખી વાંચવાની વ્યવસ્થા પણ નથી. 

લાયબ્રેરીયનને પણ પુસ્તક હોય તો શોધી આપવામાં રસ નથી. લાયબ્રેરીઓ બંધ થઈ રહી છે. આવી અરાજકતામાં આપણે સારી સારી વાર્તા વાંચવાની છે અને લખવાની પણ છે. સાથે એનું મેગેઝિન કાઢવાનું ય પાગલપન કરી રહ્યા છે. પરંતુ એ સંઘર્ષ આપણે કરવો જ રહ્યો.

 


હવે સૌથી મહત્વની વાત કે આપણે વાર્તા શા માટે લખવી જોઈએ

એ સવાલનો જ્યાં સુધી નક્કર જવાબ નહીં શોધો ત્યાં સુધી તમે સારી વાર્તા નહીં લખી શકો.


જેમકે આપણે જ્યારે કોલેજના પહેલાં વર્ષમાં હોઈએ ત્યારે સિનિયર લોકોને રોમાન્સ કરતા જોઇને આપણને ય એવું થાય કે મારે ય પ્રેમ કરવો જોઈએ. ગમતું પાત્ર શોધી પ્રેમ કરીએ ય ખરા પણ એ સાચ્ચો પ્રેમ છે એ ના કહી શકાય. પણ એવું ત્યારે ન ખબર પડે. પરંતુ જ્યારે સાચ્ચો પ્રેમ થાય ત્યારે સમજાય કે એ તો આકર્ષણ માત્ર હતું. 

મેં એવા લોકોના ય બ્રેકઅપ થતા જોયા છે જે પ્રેમમાં જ ન પડ્યા હોય.

તો શું વાર્તા પ્રત્યે તમારો એવો તો પ્રેમ નથી ને!! કે ચાલો આટલા બધા ફેસબુક ઉપર વાર્તા લખે છે તો હું ય એક લખી કાઢું. જો એવું હોય તો ફરીથી વિચારજો. કેમકે જે લખી શકે એ રોમેન્ટિક હોય એ જરૂરી નથી, પણ તે લખવાના રોમાન્સમાં હોય એ જરૂરી. કારણકે આ એક એવી ભાવુકતા છે કે તમે કશું લખશો અને કોઈક એને વાંચશે અને તેને ગમશે આ ભાવના રાખવી એ જ રોમાન્સ છે. ભલે પછી તમે ખૂનની વાર્તા લખો. માટે ફરી ફરીને હું કહું છું. કે તમે તમારી જાતને વારંવાર પૂછો કે તમે વાર્તા શા માટે લખો છો અને તેનો ટકોરા બંધ જવાબ તમારી પાસે હોવો જરૂરી. એ એટલા માટે જરૂરી કે આ પ્રશ્ન તમને ડગલે ને પગલે પૂછવામાં આવશે. તમારા સંતાન સગા સંબંધી, બહેન, ભાઈ, મમ્મી કે પછી પાડોશી જે તમને લાઈન મારવા માંગે છે પણ તમે વાર્તા લખવા માટે વ્યસ્ત છો. હા, પૂછવાના પ્રકાર અલગ અલગ હોઈ શકે. અથવા એમને સમજણ જ નહીં પડે કેમકે વ્યવહારિકતામાં એ ફિટ નથી બેસતું. તમે જે પણ કરી રહ્યા છો એને તે પોતાની જરૂરિયાત સાથે સરખામણી કરશે. એટલે એને એવું થશે કે આ શું કામ વાર્તા લખે છે !! શું જરૂર છે. એ સહુની પાસે તમારે વાર્તા લખવાને બદલે શું કરવું જોઈએ એ અંગે કોન્ક્રીટ સૂચનો હશે. તમારી પાસે એ કોન્ક્રીટ સૂચનોને ટક્કર આપે એવું વાર્તા લખતા રહેવાનું નક્કર વલણ જોઇશે.


 

એક્ચ્યુલી આ વિષયમાં કંઈ પણ કરવું એના માટે સ્પષ્ટ હોવું જરૂરી. આજે તમે આટલા બધા લોકો જાહેર રજાને દિવસે અહીં આવ્યા કારણકે તમે તમારા મનમાં એના માટે એક સ્ટેન્ડ/વલણ લીધું કે ચાલો એક ચાન્સ લઈએ. કેમકે આ લગ્ન નથી. લગ્નમાં મજ્જા એ છે કે તમે ઢસરડો કરો કે કોઈ વલણ ના લો તો પણ એ લગ્નજીવન  ચાલી જતું હોય છે. તમે એવું વલણ લો કે મારે સંસાર સારી રીતે ચલાવવો છે અથવા તમે નિર્વિચાર થઈ એવું વિચારો કે આને જે કરવું હોય તે કરે છતાંય લગ્ન ચાલે છે. કેમકે એ એક સોશિયલ સ્ટ્રક્ચર છે. જો તમે લગ્ન નહિ નિભાવવા માંગતા હોય તો પંદર કે પચ્ચીસ વ્યક્તિઓ એને નિભાવવા માટે કામે લાગી જશે. આખું એક તંત્ર છે તમને સમજાવવા માટે કે આમાં તો આવું જ હોય પણ નિભાવવું પડે. પણ વાર્તાનું એવું નથી. તમને કોઈ એવું નહીં કહે કે ગમે તે થાય તો પણ વાર્તા તો લખવી જ પડશે. માટે બી વેરી ક્લીયર વાર્તા લખ્યા વગર નહીં ચાલે એવી સ્થિતિ હોય તો જ વાર્તા લખવી. 

 

જેમકે ફીણ અને પરપોટા બન્નેનો દેખાવ સરખો છે. પણ ફીણ પ્રવાહીને વલોવાઈને આવે છે જ્યારે પરપોટો હવા ભરાવાથી બને છે. એવી જ રીતે લોહી પાણી એક કરીને લખેલી વાર્તા અને દેખાદેખીમાં લખેલી વાર્તાનો દેખાવ સમાન લાગશે પણ એના એટીટયુડમાં ઘણો ફરક છે. તમારે વારેવા મેગેઝિન માટે કે તમે ગ્રુપમાં છો એટલા માટે વાર્તા નથી લખવાની પણ જો આ પ્રકારનું ગ્રુપ ન હોય છતાંય તમે વાર્તા લખી શકો તો જ લખો. ગ્રુપ તમને મદદ જરૂર કરી શકે છે. તમે જો વાર્તા લખવા માટે સીરીયસ ના હોવ ત્યાં સુધી એ ઊંડાણ આવવાનું નથી. 

 

વાર્તામાં કૈંક ખૂટે છે એમ લાગે 

ત્યારે વાર્તા હૃદયસ્પર્શી બનાવવા શું કરવું?

 

તમે જ્યારે વાર્તા વાંચો ત્યારે તેમાં શું ગમ્યું, શા માટે ગમ્યું, એને કેવી રીતે આ કર્યું/વિચાર્યું હશે એની નોંધ બનાવો. 

અત્યારે તમે જે સ્ટેજ ઉપર છો ત્યાં તમારી પાસે એ બાદશાહી નથી કે તમે એમ કહી શકો કે બસ ગમે છે કેમ ગમે છે એ નથી ખબર પડતી. તમારે એના માટે જવાબદાર રહેવું પડશે કે તમને એમાં શું ગમ્યું. અને જો એવું થશે તો જ તમે એને વાર્તામાં લાવી શકશો. જો એવું નહિ હોય તો ઊંડાણ નહિ આવે.

પણ એ એટલું સહેલું પણ નથી કે અચ્છા અહી કોમેડી છે તો આપણે એવું જ વાર્તામાં નાંખી દઈએ. આ આંગડીયા જેવું કામ નથી કે એક જગ્યાએ થી ઉઠાવીને બીજી જગ્યાએ પધરવાઈ દેવાય. એ વાતને એક ટ્રાન્સફોર્મેશનમાંથી પસાર થવું પડશે. એનું ગ્રામર સમજવું પડશે અને પછી એ ગ્રામરનો ઉપયોગ કરી એક નવું તમારું વર્ઝન બનાવવુ પડશે. અથવા જો ખૂબ મહેનત, પ્રેમ અને લગન હશે તો એ બની જ જશે.

 

જેમકે હું ને મારો ભાઈ એક પારસી હોટલમાં  ઈંડાની સ્વાદિષ્ટ ડીશ ખાવા જઈએ છે.અને જે રીતે એ સર્વ કરે એ જોઇને મે વિચાર્યું મનમાં નોંધ્યું કે આ દિશમાં  આવું આવું કર્યું હોવું જોઈએ. અને મે તેને પૂછ્યા વગર એવું કરીને આઇટમો  બનાવી જે સરસ બની. પણ આવા પ્રયોગ હું દાળમાં નથી કરતો અથવા નથી કરી શકતો કેમકે હું દાળને એટલો પ્રેમ નથી કરતો જેટલો ઈંડાને કરું છું. કહેવાનો મતલબ એ કે વાર્તા લખતા શીખવાડી ના શકાય પરંતુ વાર્તા કેમ લખવી એ શીખી જરૂર શકાય. પહેલા તમારી રસેન્દ્રિય ઓળખો-અને એના માટે વાર્તાને વાંચતા શીખવી પડશે. અને સાથે વાંચન પણ ખૂબ વધારવું પડશે.

એવામાં જાગુ પટેલ એટલે કે મે છાપાની વાર્તા વિશે પૂછતા રાજુ નો જવાબ એવો હતો કે મને લાગે છે કે તમે અહી મને અશ્લીલ પ્રશ્ન પૂછી રહ્યા છો કેમકે છાપાને અને વાર્તાને શું લેવા દેવા..! એ વાત ખોટી છે એમ નથી કહેતો પણ જુદી છે. લોકભોગ્ય લખાણનું માળખું અલગ છે માટે એની ચર્ચા આપણે અત્યારે અહીં કરવી યોગ્ય નથી.

પૂજાનો પ્રશ્ન એ હતો કે એ પોતાની વાર્તાના મુખ્ય પાત્રના પ્રેમમાં પડી જાય છે. અને વાર્તા દ્વારા એક પ્રશ્ન પૂછવા માંગે છે.

"મેલે બાબુને ખાના નહિ ખાયા તો મેભી નહીં ખાઉંગી ...આવી બાલિશ વાતો પણ પ્રેમ હોઈ શકે છે."જો એ થોડીક વાહિયાત નથી તો એ પ્રેમની વાત નથી" આ વાત મરીઝ સાહેબ કહી ગયા છે. પણ મુદ્દો એ છે કે એ વાત જે તે સમયે  સાચ્ચે જ સીરીયસ હોઈ શકે અથવા લાગી શકે. પરંતુ પાંચેક વર્ષ પછી  સમજાય કે એવું હોતું નથી પણ છતાંય ફરી પ્રેમમાં તો પડી જ શકાય છે. તો મેલે બાબુને ખાના ખાયા -એ ઓપ્રેટિવ ફેક્ટર નથી હોતું. તમારો વાર્તા સાથેનો પ્રેમ અત્યારે મેલે  બાબુને ખાના ખાયા એ સ્તરનો છે. એટલીસ્ટ એવું મને લાગે છે. 

આપણું વાર્તા લખવું એ શું કામ અઘરું છે એના જવાબમાં તમારી સમસ્યા સમાંયેલી છે. એ એટલા માટે અઘરું છે કે "એમાં તમને બધી ખબર છે અને તમને કશી જ ખબર નથી એ સ્થિતિ ઉપર સમતોલ રહેવાનું છે”

ઉદાહરણ રૂપે ધારોકે તમે એક વાર્તા લખો છો એનો વિષય છે કે ગજાનને એના બાપ હરિશંકરનું ખૂન કર્યું. ગજાનન હરીશંકરનું ખૂન કેવી રીતે કરશે કે પોલીસને એનો ખ્યાલ નહિ આવે, એ તમને લેખક તરીકે ખબર છે પરંતુ તમારી વાર્તાના બીજા પાત્રો છે એમને નથી ખબર, નહી તો એ પોલીસને કહી દેશે. એટલે એકી સમયે તમારે એટલા બાહોશ પણ રહેવાનું છે કે પોલીસને ખબર ના પડે એ રીતે ખૂન કરવાનું છે. અને સેમ ટાઈમ તમારે પેલી માસૂમિયત પણ જાળવવાની છે કે હાઇલા આ શું થઈ ગયું! હવે આ તો નબાપો થઈ ગયો એનું શું થશે !? એટલે તમારે ગજાનનનાં પ્રેમમાં પણ પડવું પડશે અને બીજા પાત્રોના પ્રેમમાં પણ પડવું પડશે. પણ અત્યારે તમારો પ્રેમ બહુ એકતરફી છે. બાબુને ખાના ખાયા -ત્યાં સુધી જ છે. તમારે તમારી વાર્તાના પ્રેમમાં પડવું પડશે. એકતરફી પ્રેમ હંમેશા સમસ્યા સર્જતો હોય છે. તમને જે સમસ્યા ઉઠે છે એ એટલા માટે કે આપણું વિશ્વ બહુ સીમિત છે એને વિસ્તારવું પડશે. એ એવી રીતે કે તમે ભલે અત્યારે વાર્તા ના લખતા હોય. પણ તમે લેખક છો એ સતત યાદ રાખવું. તમે ગમે ત્યાં જતાં હોય ત્યારેય માહિતી ભેગી કરતાં રહેવું.

જેમકે એક વાર શાહરૂખે કહ્યું હતું કે હું અભિનય બાળકો અને વાંદરા પાસે શીખ્યો. આ વાત વિચિત્ર લાગશે પણ છે અદભુત. જેમ એક બાળક જે કંઈ પણ કરે છે એ કોઈને બતાવવા નથી કરતો..એવું જ વાંદરાનું છે એટલે એમાં સહજતા નેચરલી આવે છે.

તો અભિનયમાં પણ જેટલી સહજતા હશે તેટલો જ એ બિલીવેબલ લાગશે.

એક લેખક તરીકે આપણે દુનિયાને એક સમજણ અને ઊંડાણ પૂર્વક નિહાળીએ તો સમજાશે કે વાહિયાત લાગતી વાતો પણ વાહિયાત નથી હોતી.

અને સાથે વાંચન વધારવું જેમકે તમે જાપાનની દસ વાર્તાઓ વાંચો તો ત્યાંની એક મુલાકાત લીધા બરોબર હશે. એટલું જ નહિ કલ્ચરલ ભેદ પણ જાણવા મળશે. હું મારું અનુભવ વિશ્વ વધારવા અલગ અલગ દેશની સિરિયલ જોઉં છું."

આ દરમ્યાનમાં શિલ્પા દેસાઈની એન્ટ્રી થઈ જેઓ સરસ મજાની સુખડી લઈને આવ્યા હતા. અને સાથે ચા પણ આવી ગઈ હતી. 

રાજુએ શિલ્પા વિશે એવું કહ્યું કે મોટાભાગના લોકો ફેસબુક ઉપર હોય એના કરતાં વાસ્તવમાં ઓછા સુંદર દેખાય છે પણ તમારું ઉલટું છે. અને શિલ્પાની ખુશી છલકાઈ ગઈ. અને સાથે એમની ભલામણ પણ હતી કે આ વાત અહેવાલમાં છૂટવી ન જોઈએ.એટેન્શન શિલ્પા- વિગત અહીં મુકાઈ છે...

અર્ચિતા પંડ્યાનો સવાલ બીજા કહે કે છે અથવા સલાહ આપે છે એ માની માનીને ગૂંચવાડા ઊભા થાય છે.

રાજુ ઉવાચ કે " આખું વિશ્વ તમને ગૂંચવવા જ બેઠું છે. તમારે માત્ર પુરુષોની ગંદી નજરથી જ તમારી જાતને નથી બચાવવાની પણ તમારે તમારી જાતને કોઈના વખાણ, ટીકા કે પછી સલાહથી પણ સંભાળવાની છે. કોનું કહેલું સાંભળવું એ સલાહ આપનાર કોણ છે ? એની સાહત્યિક સમજ કેટલી છે એ જાણવું પણ જરૂરી. અને એના માટે જ આ ગ્રુપ છે. પણ સૌથી પહેલા વાંચન વધારો એટલું વાંચો એટલું વાંચો કે હાહાકાર મચી જાય કે બસ કર કેટલું વાંચીશ. હવે તો લખ. એવી સ્થિતિ આવે ત્યારે લખો."

સ્વાતિનો સવાલ મને કાયમ બીજા દ્વારા એવું કહેવાય છે કે તમે સરળ લખો છો તો થોડી સારી રીતે લખો. પછી એક બે ત્રણ ડ્રાફ્ટ પછી કંટાળો આવે છે. 

"આ બીજા છે કોણ?" રાજુએ જરાક અકળાઈને પૂછ્યું. "ખેર તમે જે એક, બે, ત્રણ વાર ડ્રાફ્ટ કરીને પછી જે કંટાળો છો એનો મતલબ એ છે કે તમે વાર્તા વાચક તરીકે નથી વાંચતા." ત્યાં પૂજાએ ટાપસી પૂરી કે અંત ખબર હોય છે એટલે કંટાળો આવે છે. એના જવાબમાં રાજુએ કહ્યું કે "જો હું ડાયરેક્ટર હોઉ ને ફિલ્મ બનાવીને એમ કહીને એડિટિંગમાં ના જાઉં કે અરે યાર એન્ડ તો મને ખબર છે, તો હું ઓડિયન્સની રીતે વિચારું છું એમ થયું. મારે ફિલ્મ બનાવવા માટે ડાયરેક્ટર બનવું પડશે નહીં કે ઓડિયન્સ. જેમકે તમને કઈ આઇટમ ભાવે ? "પાણીપુરી" "પાણીપુરી ખાતા સમય કેટલો થાય પચ્ચીસ સેકંડ અને એને બનાવતા એક કલાક થાય. તો શું ત્રિરાશી માંડશો ? યુ કાન્ટ સે કે કંટાળો આવે છે. જો એમ હોય તો પછી ડોલ્ફિન માછલી સાથે જ રમવા જાઓ. વાર્તામાં ના પડો.

બધાને ચાના બ્રેકની જરૂર હતી એટલે નક્કી કર્યું કે ચા સાથે લંચનો બ્રેક જ લઈ લઈએ. એટલે રાજુએ પૂછ્યું કે "પણ લંચ લાવ્યું છે કોણ ?" બધા એકી અવાજે બોલ્યા "બધા જ લાવ્યા છે." બધાએ પોતપોતાના ટિફિન ખોલ્યા.. ખૂબ બધી વાનગીઓથી ટેબલ ખીચોખીચ ભરાઈ ગયું. ગુલાબ જામુન, રસગુલ્લા, કેડબરી પેંડા, કોપરા પાક, સુખડી, મોતિચૂરના લાડુ, હલવો, બિસ્કીટ, કેળા સફરજન, ઢોકળા, દાબેલી, પુલાવ, સેન્ડવીચ, ફરાળી ચેવડો, થેપ્લા, પાતરા., ખાંડવી, પૂરીઆ બધી વાનગીની સાથે ચટપટી, મીઠી, તીખી તેમની બહેનપણી જેવી ચટણીઓ...અને એમાં ચાંદીના વરખ વાળી બ્યુટિકવીનની જેમ ઇતરાતી કાજૂ કતરી, સાથે નશીલી ચાનો ય સાથ.

પેટ તો ભરાઈ જ જાય પણ સાથે મન પણ તૃપ્ત થઈ જાય એટલી વાનગીઓ...ખૂબ માણી માણીને ખાધું.

લંચની લહેજત વાળી પોસ્ટ હિમાંશુએ ખૂબ સરસ રીતે લખી છે.




લંચ માટે સ્થગિત થયેલું સેશન ફરીથી ચાલુ થયું. બધા ફરી ભેગા થઇ ગોઠવાઈ ગયા...

 

ફાલ્ગુનીનો સવાલ કે વાર્તાનું માળખું કયું આદર્શ હોઈ શકે ?

"તમે તમારી બહેનપણી સાથે વાત કરો કે તમારો બોયફ્રેન્ડ અથવા પતિ કેવો છે અથવા બીજી કંઇક વાત કરો ત્યારે એના માટે તમે અંત શું હશે શરૂઆત શું હશે એ પહેલેથી નકકી કરો છો? જો ના તો એટલીજ સહજતાથી વાર્તા લખવાની છે. એનું કોઈ અલગ ફોર્મેટ નથી હોતું. બસ એટલી સ્પષ્ટતા હોવી જોઈએ કે મારે વાર્તામાં શું કહેવું છે. પછી તમને વાર્તા જ કહેશે કે મને આવી રીતે લખ. મારા બાળકને કશુંક સંગીતમાં શીખવું છે તો હું એને વાંસળી, તબલા કે પછી સંતુર શું શીખવાડું? હું એને તે જ શીખવાડીશ જેના તરફ એનો ઝુકાવ હશે. નહીં કે મને વાંસળી ગમે છે એટલે હું એને વાંસળી શીખવાડું."

ફરિદનો સવાલ : મારી પાસે સાયન્સને લગતી ઇન્ફર્મેશન હોય એને વાર્તામાં કન્વર્ટ કેવી રીતે કરવી.

"કોઈપણ વાર્તામાં મહત્વની બે વિગત હોય. એક નિશ્ચિત માહિતી એને બીજી સંવેદના. તમે વિજ્ઞાન ઉપર વાર્તા લખો કે પછી બાપ વગરની દીકરીના પાડોશીએ લગ્ન કેવી રીતે કર્યા. વિષય કોઈ પણ હોય એમાં આ બે વિગત ચોક્કસ પણે હોવી જોઈએ. દાખલા તરીકે પાડોશીએ લગ્ન કર્યા તો એની ઉંમર શું હતી. એનો પરિવાર હતો કે નહીં. એ ગામમાં દુકાળ પડ્યો હતો કે નહિ. એ નોકરી કરતો હતો કે ધંધો આ બધી નિશ્ચિત માહિતી છે. એ માણસ શું આ છોકરી માટે શું અનુભવતો હતો. એની આર્થિક સમસ્યા શું હતી. સામાજિક અસર, નૈતિક ફરજ શું હતી આ બધી વાતોને લઈને એનો મનોવ્યાપાર શું હતો આ સંવેદના થઈ. આપણે માહિતીને હંમેશા પૂરક તરીકે લેવાની છે. ભલેને ઢગલો માહિતી હોય પરંતુ સંવેદનાને ઉભારવા જેટલી ખપ પડે એટલીજ માહિતી લેવાની છે. "

ફરીદનો પ્રતિ સવાલ કે હું સાચી માહિતી લખવા જાઉં તો વાર્તા લાંબી થઈ જાય છે.

"તમે ખોટી જગ્યાએ મહેનત કરી રહ્યા છો. માહિતીની વિગતો આપવી જરૂરી નથી અને એ સાચ્ચી હોય એ પણ જરૂરી નથી એ એટલા માટે કે તમે વાર્તા લખી રહ્યા છો. એટલે વાચક એને કાલ્પનિક જ સમજશે. પણ તે માહિતી એવી રીતે લખવાની છે કે બિલીવેબલ લાગે."

સાથે છાયા એ ઉમેર્યું કે "મને ટેનેટનું ઉદાહરણ યાદ આવ્યું કે નોલાનની આગળની મૂવી છે જેમાં સાયન્સ છે એ ખૂબ એપ્રિશીએટ થઈ જ્યારે ટેનેટમાં એ સાયન્સ શીખવાડવા ગયો તેમાં લોકોએ માછલાં ધોયા. એટલે તમારે એ મૂવી યાદ રાખવી."

રાજુએ ફરી કહ્યું કે "માહિતી હંમેશા સહાયક ભૂમિકામાં રાખવાની અને સંવેદના તમારો હીરો છે. દાખલા તરીકે ઓપરેશન ટેબલ ઉપર એક દર્દીનું કેવી રીતે મોત થયું એ વાર્તાનો વિષય હોય તો ડોક્ટરની ઉંમર શું હતી એ વાત મહત્વની નથી. પણ જ્યારે તમે એવું લખો કે ચાલીસ વર્ષની જીંદગીમાં આવો કેસ પહેલી વાર આવ્યો. ત્યારે એ પાત્ર સ્પષ્ટ કરવા તમે એ વાત કહી રહ્યા છે કે આટલા વર્ષનો ડોકટર કેવી રીતે આ ભૂલ કરી શકે. ડોકટરની ઉંમર અલગ અલગ હોઈ શકે પણ તેર વર્ષનો ડોકટર ના હોઈ શકે. એવી રીતે માહિતી તાર્કિક રીતે યોગ્ય હોવી જોઈએ સાચી જ હોય એ જરૂરી નથી."

દરમિયાન મુંબઈથી રાજુ સાથે આવેલી એમની મિત્ર સુનીતાએ સહુ માટે ચાની વ્યવસ્થા કરી...ફરી ચાનો બ્રેક પડતા બધાએ ગોષ્ઠિ સાથે ચાને ફરી પણ માણી.

અમૃતનો સવાલ કે મારાથી વાર્તા લાંબી લખાઈ જાય છે પણ એને ટુંકી કરવાની લાલચમાં આખી બદલાઈ જાય છે.

રાજુનો જવાબ કે "તમારે શું કામ ટુંકી કરવી છે ? વાર્તાની લંબાઈ વિશે તમને કોણ કહે છે કે આને ટુંકી કરો? જેમ તમે તમારા કપડાં જાતે પહેરો છે એમ તમે એની લંબાઈ પણ જાતે નક્કી કરો. બીજા કોણ છે જે તમને એવું કહે છે?" 

"સ્પર્ધા માટે મોકલવાની થાય ત્યારે."

એક વાત યાદ રાખો સ્પર્ધા માટે તમારે વાર્તા નથી લખવાની. એ બધા ટાર્ગેટ પછી. પહેલા તમે વાર્તા લખતા શીખો. જેમ ઉમાશંકર જોશીએ નાટક, કવિતા, વાર્તા લખ્યા હતા. તો એમણે કઈ રીતે નક્કી કર્યું હશે કયો વિષય હું વારતામાં કહું ને કયો વિષય વિશે હું કવિતા લખું ! 

 

રાઈટીંગ એ એક એપ્લાઇડ આર્ટ છે. એક્ચ્યુલી હું તો પતંગ ઉડાડતો હતો પણ મારે વાર્તા લખવી પડી એવું તમે ના કહી શકો. દરેક રજૂઆતનું એક ગ્રામર હોય છે. કારણકે એ એપ્લાઇડ આર્ટ છે એટલે એને સમજીને એનાલીસિસ કરીને તેને તમારે આત્મસાત કરવું પડશે.

પીટર બ્રુક નામના એક નાટ્યકાર હતા જેમણે ફ્રાન્સના એક કેફેમાં બે માણસોને મહાભારત વિશે વાત કરતાં સાંભળ્યા. એને રસપ્રદ લાગતાં એમણે મહાભારતનું પોતાની ભાષામાં ટ્રાન્સલેશન વાંચ્યું. પણ વાંચ્યા બાદ એને એમ લાગ્યું કે અહીં કહેવા કંઇક માંગે છે અને ભાષાંતર બાદ સમજાય છે કઈક જુદું. જો આને સારી રીતે માણવું/ સમજવું હશે તો મારે તેની મૂળ ભાષામાં જ આ  કૃતિ વાંચવી પડશે. અને એ મહાભારત  સરસ રીતે સમજાય એ માટે સંસ્કૃત શીખ્યા. આમ આપણે મહેનત કરવા તત્પરતા બતાવવી પડશે.

 

છાયાએ ટાપસી પૂરી કે "રામાયણ અને મહાભારત એટલા સુંદર રીતે રચેલા મહાકાવ્યો છે કે લોકો તેને અસલી માનવા લાગ્યા છે."

 

વ્રજેશે એક પોઇન્ટ એવો સૂચવ્યો કે "મારું એવું સૂચન છે કે આપણે વાર્તાઓ કેમ વાંચવી એના ઉપર એક શિબિર કરવી જોઈએ."

ધ.ત્રી બોલ્યા કે "આના વિશે મે એક અનુપમ ભટ્ટનું એક પુસ્તક સજેસ્ટ કર્યું હતું. જે ખરેખર ખૂબ સરસ પુસ્તક છે અને વાર્તામાં રસ ધરાવતા લોકોએ તેને વસાવવા જેવું છે." રાજુનો સુઝાવ એવો હતો કે તમારા બન્નેના સુઝાવ ભેગા કરીને આપણે એવું કરીએ કે એક શિબિર જ એવી કરીએ કે તે અનુપમ ભટ્ટ જ લે. પણ ધ.ત્રીનું કહેવું હતું કે "એમની તબિયત એટલી સારી નથી રહેતી. એટલે શિબિર નહિ લઈ શકે. પણ છતાંય હું એમને પૂછીશ જો એ આવતા હોય તો મને વાંધો નથી. પણ એમનું પુસ્તક વાંચવા જેવું ખરું. અહીં એ વેચાય એનો ફોર્સ નથી પણ એ સરસ પુસ્તક છે એટલે હું ભલામણ કરી રહ્યો છું. એ પુસ્તકને ફરીથી શેર કરી દઈશ.”

ધ્રુવ પ્રજાપતિનું વાંચન ઉપર ફોકસ હતું. એટલે કોઈ પ્રશ્ન નહતો.

 

હિમાંશુનું કહેવું એવું હતું કે હું પહેલો ડ્રાફ્ટ લખું તો વાર્તા આખી અલગ હોય પણ જેટલી વાર લખું એટલી વાર કંઇક અલગ થાય છે. એવા મારે પચ્ચીસ ત્રીસ ડ્રાફ્ટ પડ્યા છે.

આના ઉપરથી રાજુને વિખ્યાત નાટ્યકાર સત્યદેવ  દૂબેની એક વાત યાદ આવી જે  એવું કહેતા કે અમરીશ પૂરી એક એવા અભિનેતા છે જાણે એક નાજુક નમણી કન્યા હોય. આ સાંભળી તમને થોડું વિચિત્ર લાગે પણ કહેવાનો અર્થ એ કે નાજુક નમણી કન્યાની જેમ એ ડાયરેક્ટરને એટલા સરન્ડર થઈ જતાં.- આવું કહી શકનાર સ્તરના દૂબેએ એમ કહેલું કે હું જે આજે નાટક ભજવું એ જો હું છ મહિના પછી એમ ને એમ ભજવું તો એનો અર્થ એ થયો કે મારે રિટાયર્ડ થવાનો સમય આવી ગયો. કેમ કે છ મહિના પછી પણ મને કંઈ સુધારવા જેવું ન લાગ્યું હોય તો એનો મતલબ કે એક ડાયરેક્ટર તરીકે મારો કોઈ વિકાસ જ નથી થયો. આ વાતને જરાક જુદી રીતે લઈએ તો વાર્તાના એકથી વધારે ડ્રાફ્ટ થાય તો ખોટું નથી જ.

 

છાયાએ એમાં ઉમેર્યું કે "કોઈપણ સારા નામી વાર્તાકાર એમના પુસ્તક દસ વર્ષે છપાવશે તો થોડું ઘણું એડિટ કર્યું છે તેમ પ્રસ્તાવનામાં લખશે. એકી વખતે પરફેક્ટ વાર્તા લખવી એ અશક્ય છે."

 

રાજુ : માણસ બે પ્રકારના હોય એકને ખબર હોય છે કે મારે શું લખવું એમાં એ ક્લીઅર હોય પણ મારા જેવા લોકોનો  એક ભાવ એ પણ હોય છે કે લખું ત્યારે ખબર પડે કે મારે આમ કહેવું/લખવું હતું.. એકથી વધારે ડ્રાફ્ટ થવા એ સહજ અને સારી વાત છે પણ એમાં નિરાશા વાદ આવે અને એનો કંટાળો આવે તો એના ઉપર કામ કરવા જેવું છે. કંટાળી જવાના બે કારણો છે. એક તમને એવું લાગે છે કે આ બરોબર નથી હું નબળો છું. અને બીજું કારણ કે છોડને યાર કેટલું કરવાનું. જો આવું હોય તો આગળ વધી જજો.

આપણે લખીએ છીએ ત્યારે એ લખતા લખતા વિકસતા હોઈએ છીએ. અને સમજતા હોઈએ છીએ. અને એમાં નિરાશ થયા વગર કામ કરતું રહેવું જોઈએ અને જો એવું ન થતું હોય તો સમજી લેવું જોઈએ કે તમે લેખક બનવા સર્જાયેલા નથી. કારણકે જો ધીરજ નહિ હોય તો માત્ર લેખન નહિ પણ કોઈપણ કલાનું કામ ન કરી શકો. ક્રાફટ તમે શીખી શકો અને વગર ભૂલે કરી શકો પણ લેખન વગર ભૂલે કરવું એ સંભવ જ નથી. લેખનનો સંબંધ યંત્ર સાથે નથી પણ સંવેદન સાથે છે. અને આજ સુધી એવું કોઈ સંવેદન બન્યું જ નથી જેમાં ભૂલ ન હોય. ભૂલને કારણે તો એ સંવેદન છે. પછી એ સામાજીક દૃષ્ટિએ, વ્યક્તિગત દૃષ્ટિએ, સત્યની દૃષ્ટિએ કે નૈતિકતાની દૃષ્ટિએ એના પાસા અલગ અલગ હોઈ શકે. એટલે પ્યોર સંવેદન અથવા ભૂલ રહિત સંવેદન શક્ય જ નથી. સંવેદનશીલ વ્યક્તિની જે કંઇપણ એક્ટીવીટી છે તે સંવેદનાસ્પદ છે, એમાં દેખાતી ભૂલ એ ભૂલ નહી પણ એ એની ડિઝાઇન છે. આપણે જ્યારે ભૂલ શબ્દ વાપરીએ છે તો ગેરસમજ થાય છે આવા આપણા મોટાભાગના શબ્દો આપણા શબ્દકોષની મર્યાદા છે. કેમકે શબ્દ એક આકાર નક્કી કરે છે અને ભાવને કોઈ આકાર નથી. આપણે જેવો એને શબ્દ આપીએ છીએ તો એને એક આકારમાં બાંધીએ છીએ. અને જ્યારે આપણે નિરાકારને એક આકારમાં બાંધીએ ત્યારે એને આપણે સંપૂર્ણપણે નથી બાંધી શકતા. અને કારણકે આપણે એને સંપૂર્ણપણે નથી બાંધી શકતા એને કારણે આપણે જ્યારે કોઈ ભાવ પ્રદર્શિત કરીએ છે ત્યારે શબ્દો વામણા પડે છે. શું કામ કવિઓને આટલી મહેનત લાગે છે ભાવ પ્રદર્શિત કરતા...! કેમકે એની પાસે એક ભાવ છે એક્ઝેટ એવો ભાવ બતાવતા એમને પસીનો વળી જાય છે. અને ક્યારેક એ સહજ રીતે થાય તો એ મહેનત એના સબ કોનશિયશમાં થયેલી હોય છે. જેમકે આપણા હાથમાંથી મોબાઈલ પડી જાય ત્યારે આપણે ફટ કરતાં પકડી લઈએ છીએ. એ મોબાઈલ વિચારીને નથી પકડતો પણ એ નિર્ણય સબ કોનશિયશ્લી લેવાઈ જાય છે. ટૂંકમાં યા કોન્શીયશ્લી ય સબ કોન્શીયશ્લી –મહેનત તો થતી જ હોય છે. જ્યારે આવું સબકોનશિયસ્લી થાય ત્યારે તમે સારું લખી શકશો.

 

વ્રજેશનો સવાલ સંઘર્ષ વાર્તામાં કેવી રીતે દર્શાવવો, મનોવ્યાપાર પાત્ર દ્વારા કેવી રીતે વ્યક્ત કરવો. અને સંવેદન.

સંવેદન તો વાર્તાનો મુખ્ય આધાર છે. તમે કશુંક ફીલ કરો છો એટલે વાર્તા લખો છો. પણ સંવેદનનો અર્થ તમે શું કરો ?? મને કોઈપણ ચાર પાંચ સંવેદન બતાવો. વેદના, સ્પર્શ, શૂન્યતા પણ સંવેદન છે. અને તમે જેનો સંદર્ભ આપી શકો એ સંવેદના કહો.

વ્રજેશ : સ્પર્શ કે જેમ ગરમ અડવાથી દાઝ્યા. બીજી વેદના જેમ કે કોઈનો અકસ્માત જોઉં તો દુઃખ થાય. 

રાજુ : દુઃખ કેમ થાય છે ?? તમે અકસ્માતમાં કોઈનું મૃત્યુ થાય છે એ જોઈને એટલા માટે દુઃખ થાય છે કે એ મારી સાથે પણ થઈ શક્યું હોત. એમાં તમે વિઝ્યુલાઈઝ કરો છો કે મારા સાથે આવું થાય તો કેવું થાય. આપણે કનેક્ટ કરી લઈએ છીએ. આપણે જ્યાં સુધી સંવેદનાને પૂરેપૂરી સમજીશું નહિ ત્યાં સુધી લખાશે નહિ. સંવેદના માટે આપણે લોકોને નીરખવા પડશે. તમે સંવેદના અનુભવવાનું શરૂ કરો તો એક વિશાળ વિશ્વ મળશે.

દિવારનો એક સીન છે જેમાં એક છોકરો કશુંક ચોરીને ભાગે છે ત્યારે શશિકપૂર ગોળી ચલાવે છે. આ સીન એટલા માટે છે કે એ વાત એને ગિલ્ટ કરાવે છે કે એ એના ભાઈ જે મોટો ગુનેહગાર છે એના પ્રત્યે આંખ આડા કાન કરી રહ્યો છે અને એક છોકરો જે માત્ર એની ભૂખ સંતોષવા પાઉં ચોરે છે એની ઉપર ગોળી ચલાવે છે.

દારિયો ફો નામના એક મશહૂર નાટ્યકાર થઈ ગયા. એમના નાટકમાં બે મજૂર સ્ત્રીઓ વચ્ચે ફેક્ટરીની કેન્ટીનમાં મળતા ખોરાક બાબત એક સંવાદ છે કે આ કેટલું ખરાબ ખાવાનું આપે છે. અને બીજી બોલે છે કે આપે પણ કેટલું ઓછું છે. તો હું એ સાંભળી રડી પડ્યો કે આ કેટલી બેચારગી છે કે કે ખરાબ છે એવું ખબર હોવા છતાં ય એના શરીરને એ ખાવાનું ઓછું પડે છે. આમાં  છુપી સંવેદના છે જે તમે જો તમે જાગૃત વાંચક નહિ હોવ તો એને એક વિચિત્ર કોમેડીમાં ખપાવી દેશો. 

મનોવ્યાપાર એ છે કે લેખક એક વાત કહેવા માંગે છે અને એ વાત કહેવાનો ભાર એના પાત્રો લઈ લેય છે. નહીં બોલાયેલા સંવાદો એ જ માનોવ્યાપાર છે. આગળ જતાં એવું થાય છે કે પાત્ર જ જવાબદારી લઈ લે છે. 

એ લેખકનું પણ નથી સાંભળતું. એને ઘડનાર ભલે લેખક પોતે જ હોય છે.

જેમકે પ્રીટીવુમનનો એક ખૂબ સરસ સંવાદ છે જેમાં એક બીઝનેસમેન નાયકને એક પ્રોસ્ટીટ્યુટ ગર્લ સાથે ફાવી જાય છે ત્યારે એને એવું થાય છે કે આ હંમેશ માટે મારી રખાત બની જાય તો! અને તે એને કહે  છે કે હું ચાહું છું તું હંમેશા મારી સાથે રહે. પણ એ નાયિકા આ માટે એટલી કિંમત કહે છે કે નાયકે કહેવું પડે છે કે તને એવું નથી લાગતું કે તું તારી કિંમત વધારે આંકી રહી છે ? નાયિકા જવાબ આપે છે કે મારી કિંમત તેં જ વધારી છે. નાયકે નાયિકાને એટલું સન્માન આપ્યું કે નાયિકાએ  પોતાની જાતને ડિસ્કવર કરી. એ પ્રમાણે પાત્ર જ્યારે લેખકનું નથી સાંભળતા ત્યારે એટીટ્યુડ એમને કોણે આપ્યો?-લેખકે જ આપ્યો ને!

 

છાયા એ ઉમેર્યું કે "ઘણીવાર આપણું માઇન્ડસેટ પણ આપણને નડે છે. કે મારી વાર્તા તો સારા સારા બોધ આપે એવી જ હશે. એ છોડવું પડશે. જેમકે મે એક વાર્તા લખી તેમાં મારા જ પાત્રો મારું નહતું સંભાળતા. મે જ્યારે લખ્યું ત્યારે એવું થયું કે આ હું નથી પણ એ મારા દ્વારા જ સર્જાયું છે એટલે કે મારી અંદરથી જ ડિસ્કવર થયું છે. એક રીતે મેં મારી જાતને શોધી છે. 

 

ક્રિષ્નાનો સવાલ કે હું મારી વાર્તાના સ્ત્રી પાત્રો સાથે કનેક્ટ થઈ જાઉં છું. મારી સંવેદનાઓ, મારી વિચારધારા, રહેણીકરણી વગેરે જ એમાં વણાઈ જાય છે. હું એની બહાર નીકળી નથી શકતી. પરકાયા પ્રવેશ પણ હું મારા જ પાત્રમાં કરું છું. તમે કહો છો એમ થીંક આઉટ ઓફ બોક્સ હું નથી કરી શકતી. જેમ મારા વિચાર વિલન જેવા નથી તો એ મારા સ્ત્રી પાત્રોમાં નથી આવી શકતા. 

"એના માટે તમારે આત્મરતિમાંથી નીકળવું પડશે. અને એ તમે ઘણું બધું લખશો ત્યારે આવશે. મોગલે આઝમમાં સલીમ અને અકબરના સંવાદ એક જ વ્યક્તિએ લખ્યા છે જો એ સલીમના પ્રેમમાં હોત તો અકબરનું પાત્ર નબળુ પડી જાત. માટે એ લખનાર વ્યક્તિ સલીમ પણ નથી અને અકબર પણ નથી એ વાર્તાને પ્રેમ કરે છે માટે જ  બન્નેને ન્યાય આપી શક્યો છે.. 

આ એક પ્રક્રિયા છે. એટલે થોડી ધીરજ રાખો અને વાંચન રાખો.

 

પણ થીંક આઉટ ઓફ બોક્સ એ પ્રક્રિયા કેવી રીતે કરવી. ક્રિષ્નાનો ફરી સવાલ..

છાયાએ કહ્યું કે કિશોર પટેલનો એક ટાસ્ક હતો કે “પછી મે મારી જ સોપારી આપી...” એના ઉપર લખવાનું હતું. આમાં જે પહેલો બીજો અને ત્રીજો વિચાર આવ્યો એ સઘળા ફગાવી હું એ વિચાર પર પહોંચી જેમાં આ વાત તદ્દન અણધાર્યા સંજોગમાં મૂકી શકાય

રાજુ : આ વિશ્વમાં કેટલીક વાતો એવી છે કે મને નથી ગમતી. પણ એ છે. જેમકે તમારા લગ્ન થયા છે કે નહીં એ સવાલ મને ક્યારેય નથી ગમ્યો. એક શિબિરમાં ગયેલો ત્યાંના નિયામકે મને એવો જ સવાલ કર્યો. કે તમે પરણેલા છો એટલે સામે વાળાને ખરાબ ન લાગે અને નકારાત્મક થયા વગર એવો જવાબ આપવો હતો જેમાંથી આગળ બીજા સવાલ ના ઉદભવે. મે જવાબ આપ્યો કે ‘પરણેલોછું પણ પર્મેનન્ટ નહિ.’ સાંભળી પ્રશ્ન પૂછનાર ખૂબ હસ્યા હતા. આને આઉટ ઓફ બોકસ કહી શકાય. આઉટ ઓફ બોક્સ જવાબ આપવો એટલો અઘરો નથી પણ એવી રીતે આપવાનો છે કે એને નકારાત્મકતા પણ ન અનુભવાય અને એક કનસર્ન પણ દેખાય.

તમે મને એક પ્રશ્ન પૂછો કે આઉટ ઓફ બોક્સ કેવી રીતે વિચારાય એની ચાવી આપુ.

પછી રાજુએ ક્રિષ્નાને  સવાલ કર્યો કે તમારું પાત્ર એક ગૃહિણી છે જેના ઘરમાં  ફાઇનાન્સિયલ ક્રાઇસિસ આવી પડે છે, તો એ ગૃહિણી ક્રાઈસીસ કેવી રીતે દુર  કરશે. રાજુએ કહ્યું કે તમે વિચારો શું થઈ શકે..ક્રિષ્ના એ જવાબ આપ્યો કે હું જોબ કરી શકું, કરકસર કરી શકું, પિયરમાંથી મદદ માંગી શકું. રાજુએ કહ્યું કે માની લો કે મે તમારી દીકરીને કીડનેપ કરી છે અને જો તમે પાંચમી વાત નહી વિચારો તો હું એને મારી નાંખીશ. ત્યારે તરત ક્રિષ્નાએ કહ્યું કે હું ચોરી કરીશ. ત્યારે રાજુએ કહ્યું -બસ આવી જ રીતે આઉટ ઓફ બોક્સ વિચારો.

ક્રિષ્નાએ કહ્યું કે પણ હું આવું લખું કે આવી વાર્તા લખું તો મારા ફેમિલી/ફ્રેન્ડમાં બધા એવુ વિચારે કે આ આની જ વાત છે. એટલે સંસ્કારો આડે આવે છે માટે એવી જ રીતે લખવું પડે છે. મારા સ્ત્રી પાત્રોને મારે સંસ્કારી જ રાખવા પડે છે.

છાયાએ કહ્યું કે "દસ એવી ભંગાર ગૃહિણીની વાર્તા લખી કાઢો એટલે એ લોકો ધીરે ધીરે ટેવાઈ જશે.

રાજુએ કહ્યું કે તમે લેખક થયાં એટલે તમે ધર્મ ભ્રષ્ટ થઈ ગયા. તમે હિન્દુ મુસ્લિમ કે પછી ફક્ત ભારતીય પણ ન રહી શકો. એનાથી વધારે આગળ તમે સ્ત્રી પણ નથી. એ વાત યાદ રાખો. લેખકનો દેશ, ધર્મ, જાતિ, સેકસ, અલગ હોય છે. એ બધું આડે ના આવવું જોઈએ. સંવેદનાનો કોઈ ધર્મ નથી હોતો. એ કાળી કે ધોળી નથી હોતી. એટલે આઉટ ઓફ બોક્સ વિચારવા માટે તમારે તમારો ધર્મ છોડવો પડશે એ તમને કબૂલ છે ?? જો શું હોય છે કે વાતને પોતાનો ધર્મ હોય છે. એમાં ધર્મની વાત નહિ લાવવી. બુલેટસ ઓન બ્રોડવે નામની વુડી એલનની એક અનન્ય ફિલ્મ હતી. બ્રોડવે એટલે લંડનનું મેઈન સ્ટ્રીમ થિયેટર. એ નાટકની વારતામાં  એક લેખક દિગ્દર્શકે બ્રોડવે પર એક  નાટક કરવું હોય છે પણ ફાઈનાન્સર નથી મળતો. એનો દોસ્ત એના માટે ફાઇનાન્સર શોધી કાઢે છે. પણ એની એક નાનકડી શરત હોય છે કે એ ગુંડા જેવા ફાઇનાન્સરની ગર્લફ્રેન્ડને હિરોઈન બનાવવી પડશે. જેની સાથે સદાય એના બોડીગાર્ડ રહેતા હોય છે. અને એ એટલી ભંગાર એક્ટર છે. કે એને કશું કહે અને ટોકે તો પેલા બોડીગાર્ડ આ ડાયરેકટરને માર મારે છે. અને એક બોડીગાર્ડ તો સ્ક્રિપ્ટને પણ ક્રિટીસાઈઝ કરે છે. ડાયરેકટર પોતાના મિત્રને કહે છે કે  કહ્યું કે આ નહીં ચાલે. એટલે મિત્રે કહ્યું કે થોડું સહન કરી લે.અને એ બોડીગાર્ડ ગુંડાની વાત પણ સાંભળવા જેવી ખરી. એટલે મન મોટું કરી ડાયરેક્ટરએ એ બોડીગાર્ડ ગુંડાના સજેશન લેવાના ચાલુ કર્યાં. મજાની વાત તો એ છે કે ધીરે ધીરે બોડીગાર્ડ નાટકમાં એટલો ઓતપ્રોત થઈ ગયો કે એક દિવસે કહેવા માંડ્યો  -આ હિરોઈન નહિ ચાલે એ કામ બગાડી રહી છે. ડાયરેક્ટર કહે હા પણ એ તો હું ડે વનથી જ કહું છું પણ મેઈન ગુંડા જેવા ફાઈનાનસરને કોણ સમજાવે. તો કહે એને સમજાવવાનો અર્થ નથી. પણ આ તો ન જ ચાલે. આને તો શૂટ જ કરવી પડે. અને બીજે દિવસે બોડીગાર્ડ હીરોઈનનું ખૂન કરી નાંખે છે. અને કહે છે આપણે બીજી શોધી લઈશું પણ આ તો ના જ ચાલે. ટુંકમાં એ નાટકને પોતાનો ધર્મ બનાવી લેય છે. આ વૂડી એલનની બહુ અદભુત ફિલ્મ છે.  એક ગુંડાએ કલા ધર્મ ધારણ કર્યો તો તમે તો ગૃહિણી છો!

સંસ્કારી હોવું કે લખાણમાં ભદ્રતા હોવી જોઈએ એમ માનવું એ બરાબર પણ શું ભદ્ર અને શું અભદ્ર એ કઈ રીતે નક્કી કરીશું? કોઈ પણ શબ્દ કે શબ્દપ્રયોગ સ્વતંત્ર રીતે સારો કે ખરાબ નથી હોતો પરંતુ લેખક એનો ઉપયોગ કઈ રીતે અને કયા ભાવ સાથે કરે એના પર એના સારા કે ખરાબ હોવાનો આધાર છે... 

ઉદાહણરૂપે ૧૯૯૧માં હોલીવુડના કુશળ દિગ્દર્શક રિડ્લી સ્કોટની એક ફિલ્મ આવેલી થેલ્મા એન્ડ લુઈસ’. ઉપદેશાતમ્ક બન્યા વિના સ્ત્રી મુક્તિની વાત અલગ રીતે કહેતી આ ફિલ્મમાં એક તબક્કે એક પુરુષ પાત્ર ફિલ્મની નાયિકાને 'સક માય ડીક' કહે છે જે અત્યંત અભદ્ર છે. એ વાક્ય એટલું અપમાનાસ્પદ રીતે એ બોલે છે કે લુઈસ જે સામાન્ય ગૃહિણી છે એ આ સાંભળતા વેંત એ માણસને ગોળી મારી દે છે અને પ્રેક્ષક તરીકે આપણે લુઇસના પક્ષે હોઈએ કે હા બરાબર કર્યું. 

થોડા વર્ષો પછી ૧૯૯૭માં રિડ્લી સ્કોટની જ બીજી એક ફિલ્મ જી.આઈ.જેનઆવી. એ ફિલ્મમાં નાયિકા જોર્ડન જે સૈનિક તરીકેની તાલીમ લઇ રહી છે એ પોતાના સિનિયરને એક તબક્કે આ જ વાક્ય કહે છે. પણ અહીં સંદર્ભ જુદો છે. મહિલાઓ આકરી તાલીમ વાળા લેવલની સૈનિક ન જ બની શકે એવું માનતા અને મેલ ઇગોથી છલોછલ ભરેલો આ આર્મી ઓફિસર તાલીમ લેવા આવેલી આ જુનીયર સૈનિક મહિલા જોર્ડનને લિંગ ભેદના આધારે કમજોર સમજી સતત એને અપમાનિત કરે છે અને આકરી પરીક્ષા લે છે. એક તબક્કે એની સાથે છુટ્ટા હાથની મારામારી કરે છે ત્યારે જોર્ડન એને શારીરિક મુકાબલામાં જડબાતોડ જવાબ આપે છે અને ચિત્ત કરી મુકે છે. જુનીયર સૈનિક એવી મહિલાને હાથે આમ માર ખાઈ જમીન પર ઢળી પડેલો સીનીયર ઓફિસર માંડ ઉભો થાય છે ત્યારે જોર્ડન એને આહવાન આપે છે : સક માય ડીક ... અને જોર્ડનના તમામ સાથી પુરુષ સૈનિકો તથા પ્રેક્ષકો જોર્ડનની ઝુઝારુ વૃત્તિથી પ્રભાવિત થઇ એ વાક્યને વધાવી લે છે. પ્રેક્ષક તરીકે આપણે જોર્ડન દ્વારા એ બોલાયેલ વાક્યથી ગદગદિત થઇ જઈએ છે કે વાહ જોર્ડને બરાબર કહ્યું! એક જ વાક્ય -એક ફિલ્મમાં અભદ્ર છે અને અન્ય ફિલ્મમાં ચાનક ચઢાવનારું! એના એ શબ્દો અને શબ્દકોશના અર્થ પણ એ જ. પણ સંદર્ભ બદલાતા અપશબ્દ કે ગાળ સમાન આ શબ્દ પ્રયોગ પીઠ થાબડવા યોગ્ય અભિવ્યક્તિ બની જાય છે! "

આટલું બોલી રાજુ બોલ્યા બહુ બોલી ગયો હું નહિ !

આટલે પહોંચતા બે ચાર સભ્યો નીકળી ગયા છેલ્લે લાઈવ ટાસ્કમાં એવું કર્યું કે તમારે બે એવાં કેરેક્ટર  લખવાના કે જેને તમે બહુ ધિક્કારો છો અને  જેને બહુ પ્રેમ કરો છો. એમ કર્યા બાદ રાજુએ એવું કહ્યું કે હવે જેને તમે જેને જે કારણે ધિક્કારો છો એને જ જસ્ટીફાઈ કરતા પાંચ સારા પાંચ વાક્ય લખો. અને જેને પ્રેમ કરો છો એ જ કારણને લીધે તમે એને કેવી રીતે ધિક્કારી શકો એ લખો. જેમ મે લખ્યું હતું કે હું ચાઈલ્ડ એબ્યુઝરને ધિક્કારું છું અને ફેમીનિસ્ટને લવ કરું છું. ઉદાહરણ રૂપે હું મારું જ લખું છું જે નીચે મુજબ છે.

ચાઈલ્ડ એબ્યુઝર

ભલે એ ચાઈલ્ડ એબ્યુઝર હશે..,પણ હું એમ કહીશ કે એ ગુનેહગાર નથી પણ બીમાર છે.

આજ સુધી એને ક્યારેય કોઈને ખરાબ નજરથી જોયા- આજે એને કોઈ બાળક સાથે ખરાબ વર્તન કર્યું છે તો એની પાછળ એના હોર્મોન જવાબદાર છે.

એની પત્ની મરી ગયા પછી એની દબાવી રાખેલી સેક્સની જરૂરિયાત છે તેને એને એક સ્ત્રી સાથે પ્રેમ સબંધ બાંધી સંતોષવાનો પ્રયત્ન કર્યો તો સમાજે તેને સામાજીક સંસ્કારો બતાવીને હડધૂત કર્યો. કેમકે એ સ્ત્રી પરણેલી હતી. પણ કોઈ એમ ના વિચાર્યું કે એ એની મરજી થી આવી હતી. 

એટલે આજે તે તેની એ જરૂરિયાત એટલી બેકાબૂ બની કે એ છુપી રીતે એને સંતોષવાનો પ્રયત્ન કરી રહ્યો છે. કેમકે એના મગજ પર જ એનો કંટ્રોલ નથી રહ્યો એટલો બીમાર છે.

ફેમીનીસ્ટ:

સમજ્યા કે ફેમીનીસ્ટ હોવું અને સ્ત્રીઓની પડખે ઉભુ રહેવું એ સારી નહિ બહુ જ સારી વાત છે.

પણ સાવ એટલું કોઈ સ્ત્રીને ગેરમાર્ગે દોરી ઇન્સેન્સેટીવ થઈ જવું કે સામે વાળો માણસ રોડ ઉપર આવી જાય એટલી હદે બદલો લેવો કેટલો વ્યજબી..છે!!

ફેમીનીસ્ટ હોવું કે એન્ટી ફેમીનીસ્ટ સૌથી વધુ જો અગત્યની બાબત છે તો એ છે માણસાઈ છે.

આવી જ રીતે બધાએ અલગ અલગ વ્યક્તિઓ લખી અને એના સારા ખરાબ મુદ્દા લખ્યા તેને ચર્ચ્યા. 

પછી રાજુએ દરેકના ટીકાના અને પ્રસંશાના કારણો પર ચર્ચા કરી, અભિપ્રાય આપ્યો.

 

આ લાઈવ ટાસ્કનો ઉદ્દેશ એ હતો કે લેખકે અંગત કુણા ભાવ કે કટુ ભાવથી ઉપર ઉઠીને જોતા શીખવું રહ્યું.



 

પછી રહ્યા સહ્યા જે લોકો હતા એમને વોલેન્ટરી બોક્સમાં મૂકવાની જે સિસ્ટમ હતી એ સમજાવી એ કાર્ય કર્યું. ટેબલ ઉપર વધ્યું ઘટયું જમવાનું વહેંચીને સમેટયું અને છેલ્લે સેલ્ફી અને ફોટો સેશન પતાવી બધા છૂટા પડ્યા. રાજુ તો ખૂબ બોલ્યા પણ મે ય એટલું લખ્યું કે આંટા આવી ગયા. છતાંય કંઇક છૂટી ગયું હોય તો આભાર સહ માફી.

####


 

આગળ વાંચો »