હરખાવા ની વાત :
‘મમતા’ વારતા માસિકના સપાદક મધુભાઈ એ કહ્યું કે ‘ મમતા ‘ માટે કૈક મોકલો. આપણી શિબિર વિષે મધુભાઈ અવગત છે. મેં કહ્યું કે વારતા શિબિરાર્થીઓની અમુક વારતાઓ સારી છે... એમણે કહ્યું મોકલી આપો. મેં પાંચ વારતા મોકલી અને સદભાગ્યે એમને પાંચે પાંચ ગમી,ચાર એમણે તાજા અંકમાં છાપી. એક વારતા નાટિકાના ફોર્મમાં હતી તે વારતાના ફોર્મમાં ઢાળવા કહ્યું એટલે એ રહી ગઈ કદાચ આવતા અંકમાં છપાશે.
મીના, યામિની , રાજુલ અને રાહુલ --- ચારે મિત્રોને ખુબ ખુબ અભિનંદન...!!
અહીં અને પોત પોતાના વોલ પર મોટા ભાગના મિત્રો એ આ વાત શેર કરી જ છે. છંતા હું અહીં શા માટે આ વાત મૂકી રહ્યો છું..?
કેમ કે શેર કરનાર એક પણ મિત્ર એ શિબિરના ચાર મિત્રોની વારતા એક સાથે પ્રકાશિત થઇ એવી ખુશી વ્યક્ત નથી કરી ...!! સહુ એ પોત પોતાની વારતા વિષે વાત કહી છે...
ખેર. મને લાગ્યું કે આ સાગમટે હરખાવાની વાત છે – એટલે----
શિબિરાર્થી તરીકે ફૂલાઉં છું...
ફરી સહુને અભિનંદન અને મધુભાઈનો આભાર.
રાજુ.
#####
No comments :
Post a Comment